ગૌહરે સ્પષ્ટતા કરી : કુશાલ સાથે મારે હવે કોઈ લેવાદેવા નથી

26 November, 2014 05:09 AM IST  | 

ગૌહરે સ્પષ્ટતા કરી : કુશાલ સાથે મારે હવે કોઈ લેવાદેવા નથી

ગૌહરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતાના ચાહકોને સંબોધતાં લખ્યું હતું કે ‘મારા તમામ ચાહકો પ્રત્યે મારી જવાબદારી બને છે કે હું તેમને જણાવું કે હું અને કુશાલ હવે સાથે નથી. મને આશા છે કે મારા ચાહકો મારી પ્રાઇવસીનું ધ્યાન રાખશે.’

ગૌહર અને કુશાલ વચ્ચેનું પ્રેમપ્રકરણ ‘બિગ બૉસ’ની સાતમી સીઝનથી ચાલતું આવ્યું છે અને તેમના સંબંધની વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી તેમ છતાં ગૌહર પોતાને ધર્મપરર્વિતન કરાવવા દબાણ આપે છે એવો આક્ષેપ કુશાલે થોડા દિવસ પહેલાં મૂક્યો હતો.