નાગિન 4માં નયનતારા બાદ માન્યતાનું પણ મૃત્યુ થશે!

05 March, 2020 12:31 PM IST  |  Ahmedabad | Parth Dave

નાગિન 4માં નયનતારા બાદ માન્યતાનું પણ મૃત્યુ થશે!

‘નાગિન 4’

કલર્સનો પૉપ્યુલર શો ‘નાગિન’ એનાં ટ્વિસ્ટ અને ટર્ન્સ માટે જાણીતો છે. દર્શકોએ ધાર્યો ન હોય એવો રસપ્રદ વળાંક તેમને જોવા મળે છે એથી જ આ શો હિટ રહ્યો છે. હાલમાં નાગિનની ચોથી સીઝન ચાલી રહી છે જેમાં નિયા શર્મા અને વિજયેન્દ્ર કુમેરિયા લીડ રોલમાં છે. આ ઉપરાંત અનિતા હસનંદાની, સાયંતની ઘોષ, જાસ્મીન ભસિન વગેરે મહત્ત્વની ભૂમિકામાં છે.

‘નાગિન 4’માં તાજેતરમાં જાસ્મીન ભસિનના પાત્ર નયનતારાનો ટ્રૅક સમાપ્ત કરવામાં આવ્યો છે અને હવે વધુ એક પાત્ર શોને અલવિદા કહેવા જઈ રહ્યું છે.

શોમાં આગળના ટ્રૅક મુજબ બ્રિન્દા (નિયા શર્મા)ની મા માન્યતા (સાયંતની ઘોષ)નું મૃત્યુ થવાનું છે. બ્રિન્દા પોતાની માનો બદલો પરીખ પરિવારથી લઈ રહી છે.

સાયંતનીએ આ વિશે જણાવ્યું કે ‘નાગિન શો દર્શકોથી કનેક્ટ રહેવા અને રોમાંચ જાળવવા માટે નવાં ટ્વિસ્ટ લાવે છે એથી જ શોની ક્રીએટિવ ટીમે મારા પાત્રનો અંત લાવવાનું નક્કી કર્યું છે. મારી ૧૫ વર્ષની કારકિર્દીમાં મેં એ બાબત શીખી છે કે ટીવી શો રેટિંગથી ચાલે છે. કોઈ પણ પાત્ર શોથી મોટું નથી. મને આશા છે કે મારા પાત્રનું મૃત્યુ આ શો માટે સારું કામ કરશે.’

naagin nia sharma television news tv show entertainment news parth dave