અલાદીન...માં ઝફરના ષડ્યંત્રનો પર્દાફાશ કરશે અલી

19 August, 2019 11:33 AM IST  |  મુંબઈ

અલાદીન...માં ઝફરના ષડ્યંત્રનો પર્દાફાશ કરશે અલી

અલાદીન

સોની સબ પર આવી રહેલા શો ‘અલાદીન : નામ તો સુના હોગા’માં બહુ જલદી ઝફરના શેતાની ઇરાદાને છતા કરવામાં આવશે. આ શો એના ચાહકોને હંમેશાં ટ્વિસ્ટ અને ટર્નથી પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યો છે. આ શોમાં આમિર દલ્વી વિલન ઝફરનું પાત્ર ભજવી રહ્યો છે અને તેના શેતાની ઇરાદાઓને બહુ જલદી બધાની સામે લાવવામાં આવશે. આ શોમાં જીન્નુ ભૂલમાં બોલે છે કે ‘રાજ-એ-કાયનાત’ અને એનાથી ઝફરના ષડયંત્રનો પર્દાફાશ થાય છે. અલી, બુલબુલ ચાચા અને જિન આ શબ્દનો મતલબ શોધવા પાછળ દોટ મૂકે છે. સોન મીનારને બનાવવા પાછળના ઝફરના શેતાની ઇરાદાને અલી બહાર લાવવા માગતો હોય છે. જીન્નુ અને ઝફર વચ્ચેની વાતને અલી સાંભળી જાય છે. આ માટે અલી જાહેર કરી દે છે કે મહાન વજીર ઝફરે બગદાદની તમામ મહિલાઓને પાછી લાવવાનું વચન આપ્યું છે. આ મહિલાઓમાં યાસ્મિન અને સુંદર જિની મિની પણ સામેલ છે. જોકે અલીની ચાલથી ઝફર અજાણ હોય છે અને તેની ચાલ પર તે શું પ્રતિક્રિયા આપશે એ જોવું રહ્યું.

ભગવાન વિષ્ણુ અને શંકરની મિત્રતા પર બની રહ્યો છે શો નમ:

સ્ટાર પ્લસ પર બહુ જલદી શરૂ થઈ રહ્યો છે નવો શો ‘નમ: અનંત મિત્રતા કી મહાગાથા’. આ શોમાં મિત્રતાની વાત કરવામાં આવશે. શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન વચ્ચેની મિત્રતા પર આ એક ફિક્શન-શો છે. ભારતમાં પહેલી વાર શંકર અને વિષ્ણુની મિત્રતાને લઈને કોઈ શો બની રહ્યો છે. અત્યાર સુધી શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન પર અલગ-અલગ શો બનાવવામાં આવ્યા છે. તેમના જુદા-જુદા વિચારો, ઓળખ અને તેમની શક્તિઓ વિશે આ એક અનોખો શો છે.

television news tv show