08 April, 2020 08:16 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
મુકેશ ખન્ના જુની મહાભારતમાં ભિષ્મનું પાત્ર ભજવતા.
શક્તિમાન તરીકે જાણીતા મુકેશ ખન્ના આમ તો પહેલા ભારતીય સુપર હીરો ગણાય પણ તે પહેલાં તે આઇકોનિક શો મહાભારતમાં ભિષ્મ પિતામહના પાત્ર તરીકે ઓળખાતા.એકતા કપૂરે પણ ટેલિવિઝન પર મહાભારતનું પોતાનું વર્ઝન રજૂ કર્યું હતું.મુકેશ ખન્નાને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે એકતા કપૂરને એક ક્લાસિક કૃતિને બગાડવા બદલ વખોડી હતી.
મુકેશ ખન્નાએ જણાવ્યું કે, “એકતા કપૂરે કહ્યું હતું કે તે આધુનિક પેઢી માટે મહાભારત બનાવે છે. એ સિરિયલનું નામ ‘ક્યુંકી ગ્રીક ભી કભી હિંદુસ્તાની થે’ એવુ હોત તો હું મહાભારતનું એનું વર્ઝન ચલાવી લેત.આ ક્લાસિકની હત્યા કરવાનો હક તેને કોણે આપ્યો છે વળી?તેમણે દેવરથની ભિષ્મ પ્રતિજ્ઞા જ બદલી નાખી અને સત્યવતી તો કોઇ દુષ્ટ પાત્ર બની ગઇ.તેમણે તો વેદ વ્યાસ કરતા વધારે હોંશિયાર થવાનો પ્રયાસ કર્યો.”મુંબઇ મિરરનાં રિપોર્ટ અનુસાર મુકેશ ખન્નાએ ઉમેર્યું કે, “મને તો એની સામે વાંધો હતો જ.મારે એમ કહેવું છે કે રામાયણ અને મહાભારત કંઇ દંતકથાઓ નથી આપણો ઇતિહાસ છે.હાલમાં મુકેશ ખન્ના શક્તિમાનનાં નવા વર્ઝન પર કામ કરી રહ્યા છે જે ભવિષ્યમાં રજૂ થશે.તેમના શક્તિમાનનાં 2.0 વર્ઝનમાં શું હોઇ શકેના જવાબમાં તેમણે કહ્યું કે આજનાં છોકરાંની સમસ્યાઓ પર એ શોમાં વાત કરાશે તથા ટેક્નોલોજી પણ શોનો અગત્યનો હિસ્સો હશે.