ભીષ્મ પિતામહે કપિલ શર્માના શોને કહ્યો વાહિયાત, યુધિષ્ઠીરને લાગી આવ્યું

06 October, 2020 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભીષ્મ પિતામહે કપિલ શર્માના શોને કહ્યો વાહિયાત, યુધિષ્ઠીરને લાગી આવ્યું

મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ

મહાભારતની સ્ટાર કાસ્ટ તાજેતરમાં કપિલ શર્મા શોમાં જોવા મળી હતી. આ એપિસોડમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર મુકેશ ખન્ના ગયા નહોતા અને તેમણે આ વાત સોશ્યલ મીડિયા પર જણાવી. તેમણે કહ્યું કે તે આ શોને હાસ્યાસ્પદ લાગે છે અને આનાથી બેહુદો કે ઘટિયા શો કોઇ છે નહીં. હવે મુકેશ ખન્નાનું આ નિવેદન આવ્યું ત્યાં તો યુધિષ્ઠીરનો રોલ કરી ચુકેલા 
 ગજેન્દ્ર ચૌહાણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, મને લાગે છે કે મુકેશજીને મામલે દ્રાક્ષ ખાટી છે જેવો મામલો થયો છે. કપિલ શર્મા શો 1 નંબરનો શો છે અને કરોડો લોકો તેને જુએ છે અને મુકેશજી આ શોને ક્રેઝી ગણાવે છે. તેમણે કહ્યું કે આ શોમાં તો પુરુષ મહિલાના કપડાં પહેરે છે પરંતુ શું તે ભૂલી ગયા કે મહાભારતમાં અર્જુને મહિલાઓના કપડાં પણ પહેર્યા હતા અને એક દ્રશ્યમાં તો ડાન્સ સુધ્ધાં કર્યો હતો. ગજેન્દ્ર ચૌહાણે ઉમેર્યું કે મુકેશ ખન્નાને આવી બાબતે જ શોમાં આવવાનું ન ગમ્યું હોય તો તેમણે મહાભારત કેમ ન છોડી દિધી?
મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'આ સવાલ વાયરલ થયો છે કે ભીષ્મ પિતામહ કપિલ શર્મા શોમાં કેમ નથી આવ્યા? કેટલાક કહે છે કે બોલાવાયો નહોતો તો કોઇ કહે છે કે મેં જાતે જ ના પાડી. હા એ વાત સાચી છે કે મહાભારત ભીષ્મ વગર અધુરી કથા છે પણ એ પણ સાચું છે કે મેં જ શોમાં જવાની ના પાડી હતી.'
મુકેશ ખન્નાએ ઉમેર્યું કે, "લોકો મને પૂછશે કે કોઈ પણ કપિલ શર્મા જેવા મોટા શોને કેવી રીતે ના પાડી શકે? મને ગુફી પેન્ટલે (શકુની મામા) એ જ સવાલ પૂછ્યો જ્યારે તેણે કહ્યું કે રામાયણ પછી આપણને પણ શોમાં બોલાવવામાં આવ્યા છે.ત્યારે મેં કહ્યું તમે બધા જાવ, હું નહીં આવું કારણકે આ શો જેટલો વાહિયાત શો બીજો કોઇ છે જ નહીં. અહીં દ્વિઅર્થી જોક્સ થાય છે, અશ્લિલ હરકતો થાય છે, પુરુષો મહિલાઓના કપડાં પહેરે છે અને મને આ બધું છીછરું લાગે છે."

mahabharat television news indian television entertainment news