મહારાજ કી જય હો આજથી લોકોને આપશે ભરપૂર મનોરંજન

23 March, 2020 09:38 AM IST  |  Mumbai Desk

મહારાજ કી જય હો આજથી લોકોને આપશે ભરપૂર મનોરંજન

આજ રાતથી સ્ટાર પ્લસ પર કૉમેડી શો ‘મહારાજ કી જય હો’ શરૂ થવાનો છે. આ શો સોમવારથી શુક્રવારે રાતે નવ વાગ્યે ટેલિકાસ્ટ થશે. શોમાં દેખાડવામાં આવશે કે કેવી રીતે મૉડર્ન જનરેશન પૌરાણિક સમયની હસ્તીનાપુરમાં જાય છે. આ અનોખા પ્રકારનો શો લોકોને પણ પસંદ પડશે. સાયન્સ -ફિક્શન આ શો લોકોને એક અલગ પ્રકારનો હાસ્યનો ડોઝ આપશે. આ સિરિયલમાં સત્યજીત દુબે, નિતેશ પાન્ડે, રાજેશ કુમાર, મોનિકા કેસલિનો, રિયા શર્મા, આકાશ દોભાડે અને અશ્વિન મુશ્રાન લોકોને હસાવતા જોવા મળશે. આ શોના સ્થાને અગાઉ ‘અનુપમા’ શરૂ થવાનો હતો. જોકે કોરોના વાઇરસને કારણે ‘અનુપમા’ને હાલપૂરતો મોકુફ રાખવામાં આવ્યો છે. ‘મહારાજ કી જય હો’ના લગભગ ૫૦ એપિસોડ્સ બનીને તૈયાર છે. એથી ‘અનુપમા’ને બદલે હવે ‘મહારાજ કી જય હો’ શરૂ થશે.

television news indian television entertainment news coronavirus covid19