લૉકડાઉને ભોગ લીધો, નવરાત્રિએ જીવ પૂર્યો

14 October, 2020 10:04 PM IST  |  Rajkot | Rashmin Shah

લૉકડાઉને ભોગ લીધો, નવરાત્રિએ જીવ પૂર્યો

લૉકડાઉને ભોગ લીધો, નવરાત્રિએ જીવ પૂર્યો

દંગલ ચૅનલના પૉપ્યુલર માઇથોલૉજી શો ‘દેવી આદિ પરાશક્તિ’નો ભોગ લૉકડાઉનમાં લેવાઈ ગયો હતો. ફેબ્રુઆરીમાં હજી શરૂ થયેલા આ શોનું શૂટિંગ જૂનમાં શરૂ થયું, પણ શોનું ફલક એટલું મોટું હતું કે એને ઑનઍર કરવાનું સતત ટાળવામાં આવતું રહ્યું, પણ હવે નવરાત્રિ નિમિત્તે ચૅનલ ફરી એક વાર આ શો શરૂ કરવા જઈ રહી છે અને ૨૬ ઑક્ટોબરના દિવસથી ‘દેવી આદિ પરાશક્તિ’ ફરીથી શરૂ થવા જઈ રહી છે. સિરિયલમાં વાત પાર્વતી માતાની કરવામાં આવી છે.
દેવીનું કૅરૅક્ટર કરતી રતિ પાંડેએ કહ્યું કે ‘પેન્ડેમિકમાં શો બંધ કરવામાં આવ્યો અને એનું શૂટ પણ શરૂ કરવામાં આવ્યું, એ પછી પણ અનેક આપત્તિ આવી અને શો ચાલુ થયો નહીં, જે હવે થઈ રહ્યો છે ત્યારે થાય છે કે આ કામ પણ દેવીના આશીર્વાદથી જ થઈ રહ્યું છે, એના વિના શો શરૂ થાય એવું દેખાતું નહોતું.’ દેવી સામે મહાદેવનું કૅરૅક્ટર તરુણ ખન્ના કરે છે. તરુણે કહ્યું કે ‘જૂનથી સતત શૂટ કરતા હતા, પણ તકલીફો પારાવાર આવતી એટલે મનમાં થતું કે શો કદાચ શરૂ નહીં થાય પણ હવે એ ચાલુ થાય છે એ વાત સાચે જ માતાજીના પ્રસાદ જેવી લાગે છે.’

Rashmin Shah rajkot