શ્રદ્ધા આર્ય અને અંજુમ ફકીહ કેમ બન્યાં સરદાર?

12 January, 2023 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ હતું અને હું અનકમ્ફર્ટેબલ હતી. મારે ખોટી દાઢી અને મૂછ લગાવવી પડતી હતી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે એકદમ અલગ અનુભવ રહ્યો છે.’ : અંજુમ ફકીહ

શ્રદ્ધા આર્ય અને અંજુમ ફકીહ કેમ બન્યાં સરદાર?

શ્રદ્ધા આર્ય અને અંજુમ ફકીહ હાલમાં જ સરદારના લુકમાં જોવા મળી રહ્યાં છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં અનુક્રમે પ્રીતા અને સૃષ્ટિનું પાત્ર ભજવી રહ્યાં છે. આ શોની સ્ટોરી લાઇનમાં રાખી કહે છે કે અર્જુન જ કરણ છે, પરંતુ કોઈ માનતું નથી હોતું. આથી સત્ય શું છે એ જાણવા માટે પ્રીતા અને સૃષ્ટિ વેશબદલો કરીને સરદાર બને છે. આ વિશે વાત કરતાં શ્રદ્ધાએ કહ્યું કે ‘શરૂઆતથી જ ‘કુંડલી ભાગ્ય’ મારા માટે ચૅલેન્જિંગ શો રહ્યો છે. હું આ શોને ખૂબ જ એન્જૉય કરી રહી છું અને શીખી પણ રહી છું. મને જ્યારે જાણ થઈ કે અંજુમ અને હું પાઘડી પહેરીને સરદારનું પાત્ર ભજવી રહ્યાં છીએ ત્યારે હું ખૂબ જ એક્સાઇટ થઈ ગઈ હતી. શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ હતું અને હું અનકમ્ફર્ટેબલ હતી. મારે ખોટી દાઢી અને મૂછ લગાવવી પડતી હતી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે એકદમ અલગ અનુભવ રહ્યો છે.’

entertainment news television news indian television zee tv kumkum bhagya