સાઈ કેતન રાવે મેહંદી હૈ રચને વાલી સિરિયલ શું કામ સ્વીકારી ખબર છે?

11 February, 2021 12:54 PM IST  |  Rajkot | Rashmin Shah

સાઈ કેતન રાવે મેહંદી હૈ રચને વાલી સિરિયલ શું કામ સ્વીકારી ખબર છે?

સાઈ કેતન રાવે મેહંદી હૈ રચને વાલી સિરિયલ શું કામ સ્વીકારી ખબર છે?

સ્ટાર પ્લસ પર આવનારો નવો શો ‘મેહંદી હૈ રચને વાલી’માં તેલુગુ ફિલ્મનો સ્ટાર સાઈ કેતન રાવ લીડ ઍક્ટર છે. કેતને સાત ફિલ્મો કરી છે જેમાંથી ચાર ફિલ્મ સુપરહિટ રહી અને એ પછી પણ તેણે ટીવી-સિરિયલ પસંદ કરી એ જરા નવાઈ લાગે એવી વાત છે, પણ કેતનનો જવાબ મનની ઉત્કંઠાને શાંત કરવાનું કામ કરે છે. કેતન રાવે કહ્યું હતું, ‘કોવિડ પિરિયડ પછી લોકો થિયેટર સુધી પહોંચતા થાય એ વાત થોડી વધારે પડતી લાગે છે. મને લાગે છે કે એકાદ વર્ષ સુધી તો થિયેટર તરફ જતાં લોકો ડરશે, જેનો ફાયદો ટીવીને થવાનો છે. સાવ એમ જ બેસી રહેવું કે પછી ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ કરવા કરતાં તો બહેતર છે કે ટીવી દ્વારા ઑડિયન્સ સુધી તમે પહોંચો અને તમારા ફૅન્સને અકબંધ રાખો.’
કેતન રાવ ‘મેહંદી હૈ રચને વાલી’માં રાઘવ રાવ નામના એવા ઇન્ડસ્ટ્રિયલિસ્ટનું કૅરૅક્ટર કરે છે જેણે બધું પોતાની જાતે ઊભું કર્યું છે.

Rashmin Shah indian television television news