'કસૌટી ઝિંદગી કી'નો અનુરાગ - પાર્થ સમથાન કોવિડ-19 પૉઝિટીવ

12 July, 2020 05:02 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

'કસૌટી ઝિંદગી કી'નો અનુરાગ - પાર્થ સમથાન કોવિડ-19 પૉઝિટીવ

પાર્થ સમથાન કોરોના પૉઝિટીવ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક સિતારાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે જેમાં શનિવારે અમિતાભ બચચ્નનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો ત્યાર બાદ અભિષેક બચ્ચન પણ કોવિડ-19 પૉઝિટીવ આવ્યા. હાલમાં જ સમાચાર આવ્યા કે બચ્ચન પરિવારના અન્ય બે સભ્યો એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. એવામાં હવે ટેલિવીઝન જગતમાંથી પણ એવા સમાચાર આવી રહ્યા છે ત્યારે મનોરંજન જગતમાં અનલૉકની પ્રક્રિયા હજી તો ધીમે ધીમે શરૂ થઈ રહી છે ત્યાં બોલીવુડ અને ટેલિવીઝન જગતના સિતારાઓ કોરોનાની ચપેટમાં આવતાં જોવા મળે છે.

કસોટી ઝિંદગી કી ફેમ પાર્થ સમથાન જે સિરીયલમાં અનુરાગનું મુખ્ય પાત્ર ભજવે છે તેનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. અહીં નોંધનીય છે કે તાજેતરમાં જ અભિનેતાએ સોશિયલ મીડિયાને અલવિદા પણ કહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે પાર્થ સમથાન અનેક કારણોસર સતત ચર્ચામાં રહ્યો છે. ટેલિવિઝન હાર્ટથ્રોબ પાર્થ સમથાન હાલમાં પોતાના વ્યક્તિગત જીવનને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તે પોતાના શો ‘કૈસી હૈ યારિયાં’ના પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા સાથે અંગત કારણસર થયેલા ઝઘડાને લીધે વિવાદમાં રહ્યો હતો. પાર્થે વિકાસ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ તેની સામે જાતીય સતામણીની ફરિયાદ કરતાં ટીવી-જગતમાં હોબાળો મચી ગયો હતો અને ત્યારથી વિકાસ ગુપ્તા પણ પાર્થ સહિતના કલાકારો સામે થયો છે.

એ પછી પાર્થે લૉકડાઉન દરમ્યાન હૈદરાબાદ જઈને મિત્રો સાથે પાર્ટી કરતાં તેના પર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરવાનો આરોપ લાગ્યો હતો, તો તાજેતરમાં પાર્થ મીડિયા સાથે અણછાજતું વર્તન કરે છે એવો વીડિયો પણ ચર્ચિત બન્યો હતો. આ બધા વચ્ચે પાર્થે સોશ્યલ મીડિયાને થોડો સમય બાય-બાય કહી દીધુ. અગાઉ અભિનેતાએ જણાવ્યું હતું કે તે લૉકડાઉન દરમ્યાન ડિપ્રેશનનો ભોગ બન્યો હોય એટલે માનસિક સ્વાસ્થ્ય માટે તે સોશ્યલ મીડિયાથી દૂર થઈ ગયો હોય એવું બને. ઉલ્લેખનીય છે કે અગાઉ પાર્થની કૉ-સ્ટાર એરિકા ફર્નાન્ડિસ અને ‘બેહદ’ની ઍક્ટ્રેસ જેનિફર વિન્ગેટ પણ થોડો સમય સોશ્યલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ હતી.

television news entertainment news coronavirus covid19