લાઇવ ઑડિયન્સ વગર શો કરવાનું અધૂરું લાગી રહ્યું છે: કપિલ શર્મા

28 August, 2020 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇવ ઑડિયન્સ વગર શો કરવાનું અધૂરું લાગી રહ્યું છે: કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્માનું કહેવું છે કે લાઇવ ઑડિયન્સ વગર ‘ધ કપિલ શર્મા શો’ કરવાનું અધૂરું લાગી રહ્યું છે. આજે કોરોનાને કારણે સેટ પર ખૂબ સાવધાની રાખવામાં આવી રહી છે. સૌકોઈ કામ પર પાછા ફરીને ખુશ છે. ઑડિયન્સ વિશે જણાવતાં કપિલ શર્માએ કહ્યું હતું કે ‘આટલાં વર્ષોથી હું જે કામ કરી રહ્યો છું, મારી સફળતામાં મારા દર્શકોએ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. હું જ્યારે પણ પર્ફોર્મ કરું તો મને રીઍક્શન મળે છે અને એના દ્વારા મને આગળ વધવામાં મદદ મળે છે. હાલમાં ચાલી રહેલી મહામારીને કારણે સેટ પર દર્શકોને ન લાવી શકાય. તમે દર્શકોનાં રીઍક્શન્સને કાર્ડબોર્ડનાં કટ-આઉટ્સ પર જોઈ શકો છો. દર્શકો વગર શૂટિંગ કરવું અઘરું છે. આમ છતાં અર્ચના પૂરનજી એ ખામી પણ પૂરી કરી દે છે. તેમનું હાસ્ય તો 100 લોકોની ઊણપને પૂરી કરી દે છે.’

coronavirus covid19 entertainment news indian television television news sony entertainment television the kapil sharma show kapil sharma