02 September, 2012 05:30 AM IST |
ગૌરવ નાયક અને રાજ પાટીલ લિખિત તથા રાજ પાટીલ દિગ્દર્શિત નાટક ‘મિચ્છા મિ દુક્કડમ્’માં આતંકવાદનો એ ચહેરો છે જે અહિંસા પરમો ધર્મ માનતા એક પરિવાર આગળ સાવ બદલાઈ જાય છે. રાજેન્દ્રભાઈ કહે છે, ‘ધર્મમાં એ તાકાત છે કે આતંકવાદનો વરવો ચહેરો પણ બદલાઈ શકે છે. નાટકની આ મર્મ વાત છે. માનવતાના મહાઆધાર પર ચાલતું આ નાટક પ્રેક્ષકના ધર્મ વિશેના વિચારોને ખુલ્લું આકાશ આપી વિસ્તૃત બનાવે છે.’
આજે સાંજે ૭.૩૦ વાગ્યે વરલીમાં આવેલા નેહરુ ઑડિટોરિયમમાં આ નાટકનો શુભારંભ થઈ રહ્યો છે.