સંજીવનીમાં લીડ રોલ માટે ગૌરવ ચોપડાની થશે એન્ટ્રી

19 January, 2020 12:04 PM IST  |  Mumbai Desk

સંજીવનીમાં લીડ રોલ માટે ગૌરવ ચોપડાની થશે એન્ટ્રી

ગૌરવ ચોપડા હવે ‘સંજીવની’માં અગત્યનાં રોલમાં જોવા મળવાનો છે. સ્ટાર પ્લસ પર આવતા આ મેડિકલ ડ્રામામાં મોહનીશ બહલ અને રોહિત રૉયની ઍક્સિટ થઈ ગઈ છે. આ શોનાં ક્રિએટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ આ વાતની પૂષ્ટિ કરી હતી. આ શોમાં પોતાની એન્ટ્રી વિશે ગૌરવ ચોપડાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે હું જ્યારે ‘દેવદાસ’ કરી રહ્યો હતો ત્યારે સિદ્ધાર્થ મારી પાસે તેની વાઇફ સાથે આવ્યો હતો. એ વખતે તેણે મને જણાવ્યું હતું કે તેણે તેનાં દિમાગમાં મારા માટે કંઇક વિચારીને રાખ્યુ છે. થોડા સમય બાદ જ તે‌ણે મને બોલાવ્યો અને મારા કૅરૅક્ટરને લઈને ચોખવટ કરી હતી. મેં એ રોલ વિશે સાંભળ્યુ અને સરળતાથી હું મારી જાતને એ પાત્ર ભજવતા જોવા લાગ્યો હતો.’

મોહનીશ બહલ અને રોહિત રૉયની એક્ઝિટ બાદ ગૌરવની એન્ટ્રી થવાની છે. એ સંદર્ભે ગૌરવ ચોપડાએ કહ્યું હતું કે ‘બે સિનીયર ઍક્ટર્સ મોહનીશ બહલ અને રોહિત રૉય બાદ હું આ શોમાં આવી રહ્યો છું. હું વધુ કંઇ નથી કહી શકતો કારણ કે તેમનો ટ્રેક તો મારી એન્ટ્રી પહેલા જ પૂરો થઈ જાય છે. હું નવુ પરિવર્તન, નવો તબક્કો, નવી સ્ટોરી સાથે શોમાં દેખાવાનો છું. એને લઈને હું ખૂબ એક્સાઇટેડ પણ છું. સાથે જ એ વાતને લઈને થોડી ગભરામણ પણ છે કે દર્શકો મારા પાત્રને કેવી રીતે સ્વીકારશે.’

gaurav chopra television news