મંદીના માહોલમાં પણ કરણ પટેલે ફી શું કામ ડબલ કરી નાખી?

02 July, 2020 09:16 PM IST  |  Rajkot | Mumbai correspondent

મંદીના માહોલમાં પણ કરણ પટેલે ફી શું કામ ડબલ કરી નાખી?

કરણ પટેલ

એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’નું શૂટ શરૂ થઈ ગયું છે. આ શોમાં હવે મિસ્ટર બજાજ તરીકે કરણ પટેલ જોવા મળશે. મજાની વાત એ છે કે કરણ પટેલે આ શો માટે પોતાના આગલા શો કરતાં ફી ડબલ કરી નાખી છે. અગાઉ કરણ ‘યે હૈ મોહબ્બતેં’ માટે પર ડે દોઢ લાખની ફી લેતો હતો, પણ હવે કરણ આ નવા શો માટે ત્રણ લાખ ફી લેવાનો છે. લૉકડાઉન, મંદી અને આટલો સમય શૂટિંગ બંધ રહ્યા પછી પણ હિંમતપૂર્વક ફીમાં આટલો મોટો ઉછાળો કરવા માટે કરણ પટેલને દાદ દેવી પડે; પણ કરણની તારીફ તો ત્યારે જ થાય જ્યારે તમને આ ફી વધારાનું સાચું કારણ ખબર પડે.
કરણ પટેલને ફી વધારો હમણાં નહીં કરવા માટે એકતા કપૂરે પણ કહ્યું હતું; પણ કરણ માન્યો નહીં અને કરણે ખુલાસો કર્યો કે તેનો ફી વધારો તો માત્ર ત્રીસ ટકા જ છે પણ બાકીની જે રકમ છે એ રકમ પોતાના સ્ટાફ એટલે કે મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઇલિસ્ટ, વૅનિટી વૅન હેલ્પર, સ્પૉટ બૉય અને મૅનેજર વચ્ચે વહેંચી દેવામાં આવશે.
મંદીના આ સમયમાં સૌકોઈ જ્યારે સૅલરી કટ કરવાના મૂડમાં છે ત્યારે પોતાના સ્ટાફને પણ વધારો આપવાનું કામ ભાગ્યે જ કોઈએ કર્યું હશે અને એમાં કરણ પટેલનો સમાવેશ થાય છે.

bollywood bollywood news bollywood gossips karan patel