નાગિન 2માં થોડો ગોટાળો થઈ ગયો હતો : એકતા કપૂર

02 March, 2020 06:35 PM IST  |  મુંબઈ

નાગિન 2માં થોડો ગોટાળો થઈ ગયો હતો : એકતા કપૂર

એક્તા કપૂર

એકતા કપૂરે ‘નાગિન’ સિરીઝની ત્રણ સીઝન બનાવી છે, પરંતુ બીજી સીઝનની ગુણવત્તા થોડી ખરાબ હતી. ૨૦૧૫માં આવેલી મૌની રૉય અને અદા ખાનની ‘નાગિન’ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ સફળતા બાદ તેમણે બીજી સીઝન બનાવી હતી. ત્યાર બાદ ત્રીજી સીઝનમાં તમામ ઍક્ટર્સ અને ઍક્ટ્રેસ પણ બદલવામાં આવ્યાં હતાં. જોકે આ સીઝન પણ તરત જ પૂરી થઈ ગઈ હતી. તે હવે ‘કવચ’ની બીજી સીઝન અને ‘બેપનાહ પ્યાર’ લઈને આવી રહી છે. આ વિશે વધુ જણાવતાં એકતાએ કહ્યું હતું કે ‘હું ‘કવચ’ની બીજી સીઝન લઈને આવી રહી છું જેની પહેલી સીઝન ખૂબ જ પૉપ્યુલર રહી હતી. મેં જેટલા પણ શો કર્યા છે એમાંની આ ખૂબ જ એક્સાઇટ‌િંગ સીઝન છે. મારું માનવું છે કે મારાથી બીજી સીઝન એટલી સારી નથી બનતી. મારી ‘ના‌ગિન’ શ્રેષ્ઠ હતી. ‘નાગીન 2’માં થોડો ગોટાળો થઈ ગયો હતો અને ‘નાગિન 3’ને અમે ફરી સારી બનાવી હતી.’

આ પણ વાંચોઃ અદિતિ કેમ ગૂગલ પર પોતાનું નામ સર્ચ નથી કરતી ?

ekta kapoor naagin television news