25 May, 2020 09:30 PM IST | Rajkot | Rashmin Shah
દીપિકા ચિખલિયા
‘રામાયણ’એ ફરી એકવાર સાડા ત્રણ દાયકા પછી પણ દેકારો મચાવી દેતાં એનો ગેરલાભ લેવા લેભાગુઓ પણ તૂટી પડ્યા છે. સામાન્ય લોકો અને ફેન્સ એનો ભોગ ન બને એની માટે ‘રામાયણ’માં સીતાનું કૅરેક્ટર કરતાં દીપિકા ચિખલિયાએ એટલે જ સોશ્યલ મીડિયા પર વિનંતી કરતાં લખવું પડ્યું કે મારા નામે ફેક એકાઉન્ટ ખૂલ્યાં છે અને એ કોવિડ-19 માટે સહાયની માગ કરે છે પણ કોઈએ એવી ભૂલ કરવી નહીં. દીપિકા ચિખલિયાએ સ્પષ્ટતા પણ કરી હતી કે સહાય યોગ્ય જગ્યાએ અને ભરોસાપાત્ર વ્યક્તિને આપવી.
દીપિકાએ થોડા સમય પહેલાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ‘નટસમ્રાટ’માં કમબેક કર્યુ હતું પણ એ ફિલ્મ ફ્લોપ રહી હતી. જોકે ‘રામાયણ’એ દીપિકાને ફરી લાઇમલાઇટમાં લાવવાનું કામ કરી દીધું છે. દીપિકા આવતાં સમયમાં સરોજિની નાયડુની લાઇફ પરથી બનનારી ‘સરોજિની’માં જોવા મળશે.