‘બડે અચ્છે લગતે હૈં 2’ના સેટ પર છેલ્લો દિવસ

03 February, 2023 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો વીસ વર્ષની લીપ લેવાનો છે

‘બડે અચ્છે લગતે હૈં 2’ના સેટ પર છેલ્લો દિવસ

‘બડે અચ્છે લગતે હૈં 2’ના સેટ પર દિશા પરમારનો છેલ્લો દિવસ હતો. આ શો વીસ વર્ષની લીપ લેવાનો છે. એથી સિરિયલમાં લીડ ભજવતા નકુલ મહેતા અને દિશાએ આ શોને અલવિદા કહી દીધું છે. હવે આ શોને નીતિ ટેલર અને રણદીપ રાય આગળ લઈ જશે. દિશાએ મેકઅપ રૂમમાં તૈયાર થઈ રહી હોવાનો ફોટો શૅર કર્યો હતો. એ મિરર સેલ્ફીને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દિશાએ કૅપ્શન આપી હતી, આ છેલ્લી વખત.

સેટ પરથી નકુલે દિશા સાથેનો ફોટો શૅર કર્યો છે. સાથે જ શોની ટીમ સાથેના કેટલાક ફોટો પણ તેણે શૅર કર્યાં છે. આ તમામ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નકુલે કૅપ્શન આપી હતી, ‘ડિયર રામ કપૂર ફ્રૉમ બાંદરા, તેં કેટલાક રોલ ભજવ્યા અને કેટલાક રોલ તેં તારી જાતે જ ભજવ્યા છે. દરરોજ એક જવાબદારી સાથે તેં દિલથી પોતાની ભૂમિકા ભજવી. તારી ભૂમિકા ભજવીને હું શાંત, ઠરેલ, વલ્નરેબલ બની ગયો જે હું અગાઉ કદી પણ નહોતો. તેં મને સ્વતંત્ર રહેતાં અને પોતાની ખામીઓને સ્વીકારતાં શીખવાડ્યું છે. આ શોની કલ્પના કેટલીક અદ્ભુત મહિલાઓએ કરી છે. મારા માટે તો ભારતીય ટેલિવિઝનનો પર્યાય એકતા કપૂર છે. મને ઓળખ મેળવવા માટે ઇન્ડસ્ટ્રીમાં એક દાયકો લાગી ગયો હતો અને રામ કપૂરના પાત્રને ભજવવામાં ૧૮ મહિના પસાર થઈ ગયા, જેને એકતાએ નિર્માણ કર્યું હતું. આ ભાગીદારી અને મારા પર વિશ્વાસ કરવા માટે તારો આભાર. સેટ પર અને ઑફ-સેટ જે પ્રેમ મળ્યો છે એ અવર્ણનીય છે. મારા અદ્ભુત ડિરેક્ટર, ડીઓપી, ડીસી અને જીએસ જે સશક્ત ટીમ હતી. હવે એવું લાગે છે કે હું મારી જર્સીને રિટાયર કરી રહ્યો છું. તમારામાંથી જ કોઈ મારી ભૂમિકા ભજવશે. શોના બધા કલાકારો અને ટીમને ભરપૂર પ્રેમ. આવનારા અઠવાડિયામાં તેઓ તમારા સુધી સુંદર યાદોનો ખજાનો લાવતા રહેશે.’

બીજી તરફ નકુલની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં દિશાએ લખ્યું કે ‘મિસ્ટર કપૂર, તારી સાથે દરરોજ કામ કરવું એક રૂટીન બની ગયું હતું. મને એ બધું ખૂબ યાદ આવશે. તારા ભવિષ્ય માટે શુભકામના. તેં અદ્ભુત કામ કર્યું છે. ચાલ ફરીથી આપણે સાથે કામ કરીએ.’

entertainment news television news indian television zee tv bade achhe lagte hain nakuul mehta