ધમકી મળી હોવાની વાતને ફગાવી દીધી દિલીપ જોષીએ

05 March, 2023 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા બે-ત્રણ દિવસથી એવી ચર્ચા કે દિલીપ જોષીને જાનથી મારવાની ધમકી મળી છે અને તેના ઘરને ૨૫ બંદૂકધારી વ્યક્તિઓ ઘેરીને બેઠી છે

દિલીપ જોષી

દિલીપ જોષીએ એ વાતને ફગાવી દીધી છે કે ‘મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.’ છેલ્લા બે-ત્રણ દિવસથી એવી ચર્ચા કે દિલીપ જોષીને જાનથી મારવાની ધમકી મળી છે અને તેના ઘરને ૨૫ બંદૂકધારી વ્યક્તિઓ ઘેરીને બેઠી છે. એવી પણ ચર્ચા હતી કે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું છે. જોકે દિલીપ જોષીએ આ બધી વાતને અફવા ગણાવી છે. તેને નહોતી ખબર કે આ અફવાની શરૂઆત ક્યાંથી થઈ છે. આ અફવાને કારણે ઘણા લોકોએ તેને ફોન પણ કર્યા હતા.

entertainment news bollywood news dilip joshi