Coronavirus Outbreak: તારક મહેતાના બાધાની બિલ્ડિંગ થઈ સીલ

10 April, 2020 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: તારક મહેતાના બાધાની બિલ્ડિંગ થઈ સીલ

તન્મય વેકરીયા

સબ ટીવી પર આવતા ફેમેલી કૉમેડી શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં બાધાનું પાત્ર ભજવતા તન્મય વેકરિયાની કાંદિવલી પશ્ચિમમાં આવેલી બિલ્ડિંગમાં કોરોના વાયરસ (COVID-19)ના ત્રણ પોઝેટિવ કેસ મળી આવતા બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે. કાંદિવલી પશ્ચિમમાં આવેલા રાજ આર્કેડને મંગળવારથી 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યું છે.

તન્મયે કહ્યું હતું કે, બિલ્ડિંગને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યું હોવાથી કોઈ બહાર જઈ શકતું નથી કે અંદરથી કોઈ બહાર આવી શકતું નથી. અમારે જીવન આવશ્યક કોઈ વસ્તુની જરૂર પડે તો બિલ્ડિંગનો વૉચમેન અમારી મદદ કરે છે. અમારા બિલ્ડિંગમાં ત્રણ જણને કોરોના પોઝેટિવ આવ્યો છે પણ આશ્ચર્યની વાત એ છે કે ત્રણમાંથી એકેય જણની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યારે તેમને સેવન હિલ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આશા છે તેઓ જલ્દી સાજા થઈ જાય.

mumbai mumbai news coronavirus covid19 kandivli taarak mehta ka ooltah chashmah indian television television news entertainment news