ના, ના, આ તમે નથી

19 May, 2020 08:39 PM IST  |  Rajkot | Agencies

ના, ના, આ તમે નથી

સ્વપ્નિલ જોશી

મરાઠી ફિલ્મોનો સુપરસ્ટાર અને અનેક હિન્દી-મરાઠી સિરિયલોમાં ઍક્ટિંગ કરી ચૂકેલો સ્વપ્નિલ જોશી અત્યારે ખુશીની સાથોસાથ મનમાં એક વિચિત્ર મૂંઝવણ પણ અનુભવે છે. સ્વપ્નિલ જોશી માટે ખુશીની વાત એ છે કે તેણે જે સિરિયલોથી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરીઅરની શરૂઆત કરી હતી એ બન્ને સિરિયલ ‘ઉત્તર રામાયણ’ અને ‘શ્રી કૃષ્ણા’ અત્યારે રીટેલિકાસ્ટ થઈ રહી છે અને તેને પોતાનાં બાળકો સાથે આ સિરિયલ જોવાની તક મળી છે, પણ આ ખુશીની સાથોસાથ મૂંઝવણની વાત એ છે કે પપ્પાના આ બાળસ્વરૂપને સ્વીકારવા તેનાં બાળકો જ તૈયાર નથી. સ્વપ્નિલ કહે છે, ‘એ લોકોને વિશ્વાસ નથી આવતો કે આ બન્ને સિરિયલમાં હું છું અને એ લોકો મને જુએ છે. ભરોસો દેવડાવવા માટે મેં તેમને મારા જૂના ફોટો પણ દેખાડ્યા. તેમને બધું સમજાય છે, પણ તેમનું મન આ વાત માનવા જ તૈયાર નથી.’

સ્વપ્નિલનું માનવું છે કે મગજ ઠંડું રાખીને ઘરમાં બેસી રહેવું એ જ લૉકડાઉનનો એકમાત્ર ઉપાય છે.

આ કામ માત્ર અને માત્ર ‘ઉત્તર રામાયણ’ અને ‘શ્રી ‍કૃષ્ણા’થી જ થઈ શકે. હું બધાને કહીશ કે કશું કરવાની જરૂર નથી. ઘરમાં રહો અને આ સિરિયલ માણતાં તમારા એ જૂના દિવસોને યાદ કરો. હું પણ એ જ કરું છું. - સ્વપ્નિલ જોશી

ramayan television news entertainment news