‘જુનૂનિયત’ લોકોનાં દિલ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે : અંકિત ગુપ્તા

10 February, 2023 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલર્સ પર આ સિરિયલ ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે

‘જુનૂનિયત’ લોકોનાં દિલ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે : અંકિત ગુપ્તા

‘બિગ બૉસ 16’માં જોવા મળેલા અંકિત ગુપ્તાએ જણાવ્યું છે કે તેનો નવો શો ‘જુનૂનિયત’ લોકોનાં દિલ જીતી લેશે. કલર્સ પર આ સિરિયલ ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. શોને સરગુન મેહતા અને રવિ દુબેએ પ્રોડ્યુસ કર્યો છે. આ સિરિયલમાં જહાનનો રોલ કરનાર અંકિત ગુપ્તાએ કહ્યું કે ‘મારો લુક એવા વ્યક્તિનું પ્રતિબિંબ છે જે મ્યુઝિક માટે જ જીવે છે. મને એ વાતની ખુશી છે કે લોકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો છે. મને વિશ્વાસ છે કે ‘જુનૂનિયત’ લોકોનાં દિલ જીતી લેશે. લોકો મને મ્યુઝિક પ્રત્યેની દીવાનગીના અવતારમાં જોશે.’

આ શોમાં જૉર્ડનના રોલમાં ગૌતમ વિજ જોવા મળશે. પોતાના રોલ વિશે ગૌતમ વિજે કહ્યું કે ‘હું મ્યુઝિક પર આધારિત સિરિયલ ‘જુનૂનિયત’ સ્વીકારવા માટે મેં કાંઈ વિચાર નહોતો કર્યો. ‘બિગ બૉસ 16’ દ્વારા મને મળેલા પ્રેમથી હું ખૂબ અભિભૂત છું. એથી આશા છે કે હું મારા જૉર્ડનના પાત્રને આ નવા શો મારફત જીવંત કરીશ.’

આ શોમાં ઇલાહીના રોલમાં નેહા રાણા જોવા મળવાની છે. એમાં દેખાડવામાં આવે છે કે ઇલાહી તેની મમ્મીને મળવાનું સપનું જુએ છે. તે પણ એક ક્લાસિકલ સિંગર હોય છે. એ વિશે નેહાએ કહ્યું કે ‘તેને મ્યુઝિકની ભેટ મળી હોય છે, પરંતુ તેને જીવનમાં કંઈક તો અધૂરું લાગે છે અને તેની મમ્મીની હાજરી તેને સાલે છે. તેનામાં અને મારામાં એક વસ્તુ સામાન્ય છે અને એ છે મ્યુઝિક પ્રત્યેનો પ્રેમ. એમાંથી તેને જે સ્ટ્રેંગ્થ મળે છે એ તેની ‘જુનૂનિયત’ છે.’

entertainment news television news indian television colors tv Bigg Boss