લગ્ન તૂટવા બદલ આસિમને જવાબદાર નથી માનતી હિમાંશી ખુરાના

22 January, 2020 02:03 PM IST  |  Mumbai

લગ્ન તૂટવા બદલ આસિમને જવાબદાર નથી માનતી હિમાંશી ખુરાના

હિમાંશી ખુરાના

પંજાબી સિંગર અને ‘બિગ બૉસ ૧૩’ની ભૂતપૂર્વ સ્પર્ધક હિમાંશી ખુરાના તેના લગ્ન તૂટવા માટે આસિમ રિયાઝને જવાબદાર નથી માનતી. હિંમાશી ‘બિગ બૉસ’માં આવી એ પહેલાં તેના બૉયફ્રેન્ડ ચાઓ સાથે તેના લગ્ન નક્કી થઈ ગયા હતા. જોકે શોમાં આસિમ સાથે નિકટતા વધતા હિમાંશીના લગ્ન તૂટી ગયા છે. વીકએન્ડના વારમાં પણ સલમાને કહ્યું હતું કે હિમાંશીની સગાઈ થઈ ગઈ હોવાથી તેના વિશે ફિલીંગ્સ લાવવી પણ ખોટું છે. જોકે હિમાંશીએ આ વિશે ટ્વીટ કર્યું હતું કે ‘મારી પર્સનલ લાઇફને જજ કરવાનો હક કોઈ પાસે નથી. હું આ બધામાંથી પસાર થઈ રહી છું બીજી કોઈ વ્યક્તિ નહીં. આસિમ ખોટો નથી, ચાઓનો પણ વાંક નથી અને મારી પણ કોઈ ભૂલ નથી. પરિસ્થિતિ જ એવી છે. દરેકની લાઇફમાં ઊતાર-ચઢાવ આવે છે. અમારું બધાની સામે થઈ રહ્યું છે એથી બબાલ થઈ રહી છે. જોકે હું બધુ ક્લિયર કરી દઈશ.

આ પણ વાંચો : કુરબાન હુવામાં દેખાશે નવોદિત ઍક્ટ્રેસ પ્રતિભા રાંતા

આસિમ પર કોઈ આરોપ નહીં મૂકે. મને ખબર છે કે તે દુખી છે અને સગાઈ મારી તૂટી છે. કોઈની ભૂલ નથી અને આસિમના ચાહકોએ એ સમજવું જોઈએ કે તેની ભૂલ નથી. આસિમ સાથે હું વધુ ક્લોઝ છું એથી મને તેની ફિકર થઈ રહી છે.’

television news Bigg Boss 13 tv show colors tv