મન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં અથર સિદ્દીકી નેગેટિવ રોલમાં

02 March, 2021 12:40 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

મન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં અથર સિદ્દીકી નેગેટિવ રોલમાં

મન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં અથર સિદ્દીકી નેગેટિવ રોલમાં

૯ વર્ષ બાદ દર્શકોની પ્રિય ટીવી શ્રેણી ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’નો બીજો ભાગ આવી રહ્યો છે અને આ વખતે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ જેવી સિરિયલો બનાવનાર રાજન શાહી ‘પ્રતિજ્ઞા 2’નું નિર્માણ કરી રહ્યા છે. સ્ટાર ભારત પર આવનારા આ શોમાં પૂજા ગોર અને અરહાન બહલની લીડ જોડી યથાવત્ છે, તો અનુપમ શ્યામ પણ સજ્જન સિંહ તરીકે બીજા ભાગમાં જોવા મળશે. શો સાથે જોડાયેલા નવા કલાકારોની યાદી પણ ધીમે-ધીમે બહાર આવી રહી છે. છેલ્લે ‘બ્રહ્મરાક્ષસ 2’માં જોવા મળેલો ચેતન હંસરાજ અને ‘હેલો પ્રતિભા’ ફેમ સચલ ત્યાગી મહત્ત્વનો રોલ કરવાના છે, તો નેગેટિવ રોલ માટે અથર સિદ્દીકીની પસંદગી થઈ છે. ‘વિઘ્નહર્તા ગણેશ’, ‘તેનાલી રામા’, ‘ઝાંસી કી રાની’, ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’ વગેરે સિરિયલમાં કામ કરી ચૂકેલો અથર સિદ્દીકી ‘પ્રતિજ્ઞા 2’માં ચેતન હંસરાજના ભાઈના રોલમાં જોવા મળશે.
અથર સિદ્દીકીનું કહેવું છે કે ‘પ્રતિજ્ઞામાં મારું પાત્ર સાઇકોનું છે જે પોતાના આનંદ માટે બીજાનાં ખૂન કરવામાં પણ ખચકાતો નથી. મને સામાન્ય રીતે નેગેટિવ રોલ માટે અપ્રોચ કરવામાં આવે છે, જેનું કારણ મારી આંખો હોઈ શકે છે! જોકે હું આવા રોલ એન્જૉય કરું છું. મેં મુખ્યત્વે માઇથોલૉજિકલ શો કર્યા છે એટલે હું ખુશ છું કે મને ‘પ્રતિજ્ઞા’ જેવો ફૅમિલી ડ્રામા શો મળ્યો.’

television news entertainment news indian televisio