હા, અનુરાગ પ્રેરણાનું ખૂન કરી રહ્યો છે : એકતા કપૂર

26 February, 2020 03:38 PM IST  |  Mumbai

હા, અનુરાગ પ્રેરણાનું ખૂન કરી રહ્યો છે : એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂરનું કહેવું છે કે તેની સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’માં પ્રેરણાનું ખૂન અનુરાગ બાસુ કરતો જોવા મળશે. આ શોમાં અનુરાગનું પાત્ર પાર્થ સામથાન અને પ્રેરણાનું પાત્ર એરિકા ફર્નાન્ડિસ ભજવી રહ્યાં છે. શોની સ્ટોરી લાઇન મુજબ અનુરાગ પ્રેરણાનું ખૂન કરી રહ્યો છે એવો પ્રોમો દેખાડવામાં આવ્યો છે. જોકે એ સત્ય છે. ટેરેસ પરથી અનુરાગ પ્રેરણાને ધક્કો મારી દેશે. આ સાથે જ શોમાં નવો ટ્વિસ્ટ લાવવા માટે નવી એન્ટ્રી થશે અને એ હશે મિસ્ટર બજાજની. આ માટે ફરી કરણ સિંહ ગ્રોવરને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે.

‘કસૌટી ઝિંદગી કી’ વિશે પૂછતાં એકતા કપૂરે કહ્યું હતું કે ‘ટીવી ઇન્ડસ્ટ્રીમાં અનુરાગ અને પ્રેરણાને હંમેશાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યાં છે. ‘કસૌટી ઝિંદગી કી’માં દર્શકો હવે પ્રેમ અને છેતરામણીનું એક નવું રૂપ જોશે. સોશ્યલ મીડિયા પર આ વિશે ઘણાં અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. મને ઘણા ફોન કૉલ પણ આવી રહ્યા છે કે શું અનુરાગ સાચે પ્રેરણાને મારશે? તો હા, એ સત્ય છે. તે ખૂન કરી રહ્યો છે. આ અંત બાદ સ્ટોરી એક નવો વળાંક લેશે જે દર્શકોને પસંદ પડશે.’

ekta kapoor television news tv show