કૃષ્ણા અભિષેકના નવા શોમાં સુનીલ ગ્રોવર જોવા મળશે?

24 March, 2017 05:32 AM IST  | 

કૃષ્ણા અભિષેકના નવા શોમાં સુનીલ ગ્રોવર જોવા મળશે?


કપિલ અને સુનીલ વચ્ચે ફ્લાઇટમાં ઝઘડો થયો હતો, જેમાં કપિલે નશામાં સુનીલને તમાચો અને તેના બૂટથી માર્યો હતો એવી વાતો ચાલી રહી છે. તેમના ઝઘડાને લઈને સુનીલે શોમાં હાજરી નહોતી આપી. એથી એવી વાતો ચાલી હતી કે સુનીલની જગ્યાએ કપિલ તેના શો માટે કૃષ્ણા અભિષેકને પસંદ કરશે. જોકે હાલમાં એવી વાતો ચાલી રહી છે કે કૃષ્ણા એક ચૅનલ સાથે તેના નવા શોની તૈયારી કરી રહ્યો છે અને એ શોમાં તેની સાથે સુનીલ ગ્રોવર જોવા મળશે એવી વાતો ચાલી રહી છે. એથી તમારો દુશ્મનનો દુશ્મન એ તમારો મિત્ર થાય એ કહેવત સાચી પડી શકે એવું લાગી રહ્યું છે.