લગ્ન પછી પણ બદલાઈ નથી શેફાલી શર્માની લાઇફ

17 November, 2014 05:09 AM IST  | 

લગ્ન પછી પણ બદલાઈ નથી શેફાલી શર્માની લાઇફ


આ ઍક્ટરે સપ્ટેમ્બરમાં તેના પ્રથમ શો ‘બાની - ઇશ્ક દા કલમા’ના ક્રીએટિવ સુપરવાઇઝર વરુણ સેઠી સાથે લગ્ન કર્યા હતાં.વરુણ વિશે શેફાલી કહે છે, ‘તે બદલાયો નથી, પરંતુ મને લાગે છે કે અત્યારે આ સવાલનો જવાબ આપવો વહેલો ગણાય. એકાદ વર્ષ પછી એ બાબતે કંઈ કહી શકાય.’શેફાલીએ લગ્ન પછી લાઇફમાં ફક્ત એક જ બાબત બદલાઈ હોવાનું કહ્યું. એ એવી છે કે હવે તે જીવનમાં વધારે મોજ કરે છે.લગ્ન પછીના જીવન વિશે શેફાલી કહે છે, ‘બધા મને પૂછે છે કે લગ્ન પછી લાઇફમાં શું ફેરફાર થયો છે. હું જૉઇન્ટ ફૅમિલીમાંથી આવું છું અને હું ‘બાની...’ માટે મુંબઈ શિફ્ટ થઈ એ વખતે મને એકલતા સતાવતી હતી. લગ્ન પછી મને મારો પરિવાર
પાછો મળી ગયો છે અને હવે ખૂબ મજા પડે છે.’થિયેટરના બૅકગ્રાઉન્ડમાંથી આવતી શેફાલીને લોકોના જીવન સાથે સંકળાયેલા અને રિયલિસ્ટિક રોલ ભજવવા ગમે છે.