જેનિફર વિન્ગેટની બેહદ 2 બંધ નહીં થાય

05 March, 2020 12:31 PM IST  |  Mumbai

જેનિફર વિન્ગેટની બેહદ 2 બંધ નહીં થાય

જેનિફર વિન્ગેટ

જેનિફર વિન્ગેટની ‘બેહદ 2’ બંધ થાય એવાં કોઈ એંધાણ નથી. આ શોમાં જેનિફર વિન્ગેટ, શિવિન નારંગ અને આશિષ ચૌધરી જોવા મળી રહ્યાં છે. શો બંધ થઈ રહ્યો હોવાના સમાચાર વિશે સોની ટીવીએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું કે ‘અમારી ‘બેહદ 2’ને લઈને એવી અફવા ચાલી રહી છે કે એ બંધ થઈ રહી છે અને ઓટીટી પ્લૅટફૉર્મ સોનીલિવ પર રજૂ કરવામાં આવશે. જોકે એ ખોટી વાત છે. ‘બેહદ 2’ સોની ટીવી દ્વારા રજૂ કરવામાં આવતો એક ફિક્શન શો છે અને અન્ય શોની જેમ એનો પણ એક લૉજિકલ એન્ડ થશે.’

jennifer winget television news tv show entertainment news