09 March, 2019 11:21 AM IST |
રૉનિત રૉય
કલર્સ ચૅનલ પર આવતી સિરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં રૂપલ ત્યાગી અને રૉનિત રૉય બહુ જલદી જોવા મળશે. રૂબીના દિલૈક આ શોમાં સૌમ્યાનું પાત્ર ભજવી રહી છે. આ શોમાં સૌમ્યા તેના જીવનના ઘણા ઉતારચડાવમાંથી પસાર થઈ છે અને હવે તે તેની બહેનના બાળકને દત્તક લેવા માગે છે. આ શોમાં બાળકનો હક કોને મળશે એ માટે હવે લડાઈ ચાલી રહી છે. રૉનિત રૉય આ શોમાં હવે રજત સિંહના પાત્ર દ્વારા એન્ટ્રી કરશે. આ વિશે રૉનિત રૉય કહે છે, ‘આ શોમાં ટ્રાન્સજેન્ડરના રાઇટ્સ વિશે વાત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સંજય ગગનાણીને કુંડલી ભાગ્યના ફૅન્સ દ્વારા આપવામાં આવ્યું નવું નામ
સોસાયટીમાં તેમને પણ માન-સન્માન મળવાં જોઈએ એ મેસેજ આ શો દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ શોમાં હું રજત સિંહનું પાત્ર ભજવી રહ્યો છું જેની સાથે ટ્રૅજિક ઘટના થઈ હોવાથી તેણે પ્રૅક્ટિસ છોડી દીધી હોય છે. જોકે સૌમ્યાના કેસને કારણે તે ફરી પ્રૅક્ટિસ શરૂ કરશે.’