કોમોલિકાના પાત્રને લોકોએ જે પ્રેમ આપ્યો એનાથી ખુશ છું:ઉર્વશી ધોળકિયા

24 July, 2019 11:42 AM IST  |  મુંબઈ

કોમોલિકાના પાત્રને લોકોએ જે પ્રેમ આપ્યો એનાથી ખુશ છું:ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ધોળકિયાનું કહેવું છે કે ‘કસૌટી ઝિંદગી કી’માં તેણે ભજવેલા કોમોલિકાના પાત્રને જે પ્રકારે લોકોનો પ્રેમ મળ્યો છે એનાંથી તે ખુશ છે. તે હાલમાં ‘નચ બલિયે 9’માં તેના એક્સ-પાર્ટનર અનુજ સચદેવ સાથે જોવા મળી રહી છે. કોમોલિકાની ભૂમિકા વિશે ઉર્વશીએ કહ્યું હતું કે ‘૧૦ વર્ષ પહેલાં મેં કોમોલિકાનું પાત્ર ભજવ્યું હતું. લોકો આજે પણ એ પાત્રની ચર્ચા કરે છે. લોકો એ પાત્રને જે પ્રકારે પ્રેમ આપ્યો છે એની મને ખુશી છે. કોમોલિકાનું આ કૅરૅક્ટર ભજવવાની મને જે તક મળી એનાથી હું ખુશ છું કે આજે આટલા વર્ષો વિતવા છતાં પણ લોકોનાં દિલોમાં તે હજી પણ જીવંત છે.’ 

આ પણ વાંચો : નચ બલિયે 9: ઉર્વશી ઢોલકિયાથી કંટાળીને અનુજ સચદેવ કરે છે અલગ પ્રૅક્ટિસ

નૅગેટિવ કૅરૅક્ટરને મહત્વ આપતાં ઉર્વશીએ કહ્યું હતું કે ‘જે પ્રકારે હીરોનું પાત્ર જરૂરી છે એટલું જ વિલનનું પાત્ર પણ અગત્યનું છે. નૅગેટિવ કૅરૅક્ટર સ્ટોરીમાં ડ્રામાનો ઉમેરો કરે છે, એને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. મને એ વાતની ખુશી છે કે લોકોએ નકારાત્મક છબીમાં મારો સ્વીકાર કર્યો.’

urvashi dholakia television news