રુક જા ઓ દિલ દીવાને ગીત ઉદિત નારાયણના હાથમાંથી છૂટતાં રહી ગયું

14 April, 2019 10:44 AM IST  | 

રુક જા ઓ દિલ દીવાને ગીત ઉદિત નારાયણના હાથમાંથી છૂટતાં રહી ગયું

ઉદિત નારાયણ

ઉદિત નારાયણનું ગીત ‘રુક જા ઓ દિલ દીવાને...’ તેમના હાથમાંથી છૂટતાં-છૂટતાં રહી ગયું હતું. યશ ચોપડાની ૧૯૯૫માં આવેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં શાહરુખ ખાન અને કાજોલે કામ કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘રુક જા ઓ દિલ દીવાને...’ ઉદિત નારાયણે ગાયું હતું. ઉદિત નારાયણે હાલમાં જ ઝીટીવી પર આવતા શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં હાજરી આપી હતી. આ ગીત વિશે વધુ જણાવતાં ઉદિત નારાયણે કહ્યું હતું કે ‘મને હજી પણ યાદ છે કે મારે બે વાગ્યે સ્ટુડિયોમાં પહોંચવાનું હતું અને હું છ વાગ્યે ગયો હતો. મ્યુઝિક ડિરેક્ટર્સ જતિન-લલિત અને યશ ચોપડાજી કલાકોથી મારી રાહ જોઈ રહ્યા હતા અને તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. તેમને ખુશ કરવાનો એક જ રસ્તો હતો કે હું સારી રીતે રેકૉર્ડ કરુ. રેકૉર્ડિંગમાં પણ હું સારી રીતે ગીત નહોતો ગાઈ શક્યો અને દરેકનો મૂડ પણ બગડી ગયો હતો.

આ પણ વાંચો : “યે રિશ્તા ક્યા કહેલાતા હે”ની આ અભિનેત્રી હવે જોવા નહી મળે

જતિન-લલિતે મને પરિસ્થિતિથી વાકેફ કર્યો, પરંતુ હું વધુ સ્ટ્રેસમાં આવી ગયો. તેઓ મારી જગ્યાએ નવા સિંગરને પસંદ કરવાનું વિચારી રહ્યા હતા. મેં મારી જાતને એક રૂમમાં બંધ કરી દીધી અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે બધું ઠીક કરી દે. હું બહાર આવી યશજીને વિનંતી કરી રહ્યો હતો કે મને એક ચાન્સ આપે. તેમણે એ આપ્યો અને મેં એક જ ટેકમાં ત્રણ અંતરાનું રેકૉર્ડિંગ કર્યું હતું.’

udit narayan tv show television news