રાજકુમાર બડજાત્યાને ડેડિકેટ કરી રહ્યું છે રાજશ્રી પ્રોડક્શન

08 January, 2020 03:38 PM IST  |  Mumbai | Harsh Desai

રાજકુમાર બડજાત્યાને ડેડિકેટ કરી રહ્યું છે રાજશ્રી પ્રોડક્શન

સૂરજ બડજાત્યા

રાજશ્રી પ્રોડક્શન ‘દાદી અમ્મા... દાદી અમ્મા માન જાઓ!’ દ્વારા ફરી સ્મૉલ સ્ક્રીન પર કમબૅક કરી રહ્યું છે. આ શોને સૂરજ બડજાત્યા અને તેમનો દીકરો દેવાંશ એસ. બડજાત્યા સ્વર્ગીય રાજકુમાર બડજાત્યાને ડેડિકેટ કરી રહ્યા છે. સ્ટાર પ્લસ પર શરૂ થઈ રહેલા આ શોને દેવાંશ પ્રોડ્યુસ કરી રહ્યો છે. રાજશ્રી પ્રોડક્શનના ટીવી ડિપાર્ટમેન્ટને દેવાંશ સંભાળે છે. આ શોમાં દેવાંશ અને રાજકુમાર બડજાત્યા વચ્ચેના સંબંધની ઘણી ઝલક જોવા મળશે. આ વિશે સૂરજ બડજાત્યાએ કહ્યું હતું કે ‘આ શો મારા દિલની ખૂબ જ નજીક છે અને ‘પચહત્તર સાલ કે બચ્ચે’ મારા પપ્પા દ્વારા ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવતું હતું. મારા પપ્પા સાથે મેં જે સમય પસાર કર્યો હતો એની પણ ઘણી ઝલક આ શોમાં જોવા મળશે. હું આ શો તેમને ડેડિકેટ કરી રહ્યો છું.’

આ શોમાં ગ્રૅન્ડ પેરન્ટ્સ અને બાળકો વચ્ચેની સ્ટોરી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. પોતાની ઍમ્બિશનને ફૉલો કરવાની સાથે ગ્રૅન્ડ પેરન્ટ્સને કેટલો સમય આપી શકે છે એના પર આ સ્ટોરી છે. સ્ટાર પ્લસ અને રાજશ્રી ત્રીજી વાર સાથે કામ કરી રહ્યાં છે. આ શોની ટૅગલાઇન છે ‘પચહત્તર સાલ કે બચ્ચે’ અને એનો ફર્સ્ટ લુક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ શોમાં મોહન જોશી, સીમા બિશ્વાસ, શીન દાસ અને અનઘા ભોસલે જેવા ઍક્ટર્સને પસંદ કરવામાં આવ્યાં છે.

sooraj barjatya Salman Khan television news entertaintment