નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કરે છે સિમરન ખન્ના

01 October, 2019 03:57 PM IST  |  મુંબઈ

નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કરે છે સિમરન ખન્ના

સિમરન ખન્ના

મુંબઈ : ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં ગાયુના પાત્રમાં જોવા મળેલી સિમરન ખન્ના હાલમાં મા દુર્ગાના આશીર્વાદ લેવા મંદિર ગઈ હતી. રવિવારથી નવરાત્રિ શરૂ થઈ છે અને એ વિશે સિમરને કહ્યું હતું કે ‘આ વર્ષે નવરાત્રિમાં મેં ૯ દિવસના ઉપવાસ રાખ્યા છે. આ તહેવાર માટે હું મા દુર્ગાના આશીર્વાદ લેવા પણ ગઈ હતી. મારા ઘરમાં નવરાત્રિની પૂજા મારી મમ્મીએ કરી હતી. તે હવે અમારી વચ્ચે નથી રહી. નવરાત્રિમાં ૯ દિવસનાં વ્રત રાખીને હું મારા ઘરની પરંપરાને આગળ વધારીશ. નવરાત્રિમાં કઈ વાનગી ખાવામાં લેવી એ પણ હું મારી મમ્મી પાસે બનાવતાં શીખી હતી. મને ગરબા ખૂબ પસંદ છે, પરંતુ હવે એટલો સમય નથી મળતો. શૂટિંગમાંથી સમય મળે તો હું ગરબા જોવા જાઉં છું અને ઇચ્છા થઈ તો રમું પણ છું.’

television news