મેરે સાંઈઃ શ્રદ્ધા ઔર સબૂરીમાં અભિનેતા સમીર શાહની એન્ટ્રી

31 December, 2019 12:39 PM IST  |  Ahmedabad

મેરે સાંઈઃ શ્રદ્ધા ઔર સબૂરીમાં અભિનેતા સમીર શાહની એન્ટ્રી

સમીર શાહ

સોની ટીવી પર બે વર્ષથી આવતી સિરિયલ ‘મેરે સાંઈ- શ્રદ્ધા ઔર સબૂરી’ દર્શકોમાં ખાસી લોકપ્રિય છે. શિર્ડીના સાંઈબાબાના જીવન સાથે જોડાયેલી વાતો તથા તેમના ઉપદેશો રજૂ કરતી આ સિરિયલમાં મુખ્ય પાત્ર તુષાર દળવી ભજવે છે. આ પહેલાં તે પાત્ર અભિનેતા અબીર સૂફી ભજવતો હતો. જ્યારે યુવાન સાંઈબાબાનું પાત્ર અભિષેક નિગમ ભજવતો હતો. 

હવે સમાચાર આવ્યા છે કે ‘મિસિસ તેન્ડુલકર’ અને ‘તૂ મેરે અગલ બગલ હૈ’ જેવી સિરિયલોમાં દેખાઈ ચૂકેલો અભિનેતા સમીર શાહ ‘મેરે સાંઈ : શ્રદ્ધા ઔર સબૂરી’માં એન્ટ્રી મારવાનો છે. તે ‘મેરે સાંઈ’ના આવનારા એપિસોડ્સમાં મૂલે શાસ્ત્રી નામનું અગત્યનું પાત્ર ભજવવાનો છે. ધાર્મિક સિરિયલો જોવા ટેવાયેલા દર્શકોનો ‘મેરે સાંઈ : શ્રદ્ધા ઔર સબૂરી’ ગમતો શો છે અને તેમને આ નવો ફેરફાર કેવો લાગે છે તથા એનાથી શોને કેટલો ફાયદો થાય છે એ જોવું રહ્યું.

television news tv show