સંજીવની માટે સુરભીને લેવા પહેલાં 70 ઍક્ટર્સના લેવામાં આવ્યાં હતાં ઑડિશન

20 August, 2019 11:28 AM IST  |  મુંબઈ

સંજીવની માટે સુરભીને લેવા પહેલાં 70 ઍક્ટર્સના લેવામાં આવ્યાં હતાં ઑડિશન

સુરભી

સ્ટાર પ્લસ પર આવી રહેલી ‘સંજીવની’માં સુરભી ચંદનાને પસંદ કરવા પહેલાં લગભગ ૭૦ ઍક્ટર્સનાં ઑડિશન લેવામાં આવ્યાં હતાં. સુરભી આ શોમાં ડૉક્ટર ઇશાનીનું પાત્ર ભજવી રહી છે. ૧૭ વર્ષ બાદ કમબૅક થઈ રહેલા આ શોને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કર્યો છે. આ વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘અમે સુરભીને પસંદ કરવા પહેલાં લગભગ ૭૦ ઍક્ટર્સનાં ઑડિશન લીધાં હતાં. હું નવા ચહેરાને પસંદ કરવા માગતો હતો અને એક નવી કેમિસ્ટ્રી બનાવવા ઇચ્છતો હતો.

આ પણ વાંચો : બાળકો સાથે કામ કરવાનું ખૂબ જ ગમે છે હર્ષ રાજપૂતને

અમે નમિત ખન્ના અને સુરભી ચંદના સાથે ઘણાં ઑડિશન કર્યાં હતાં જેથી ઑન સ્ક્રીન તેમની કેમિસ્ટ્રી વિશે અમે વધુ સારી રીતે જાણી શકીએ. જોકે તેમની કેમિસ્ટ્રી લોકોને પસંદ પડી રહી હોવાની અમને ખુશી છે.’

television news