04 September, 2019 04:06 PM IST | મુંબઈ
મલ્હાર પંડ્યા
ઝી ટીવી પર આવતા શો ‘અઘોરી’માં અઘોરી ઇન્દ્રનું પાત્ર ભજવતાં મલ્હાર પંડ્યાનું કહેવું છે કે લોકો ઍક્ટર તરીકે ઓળખે એવી તેની ઇચ્છા છે. આ વિશે વધુ જણાવતાં મલ્હારે કહ્યું હતું કે ‘મને સ્ટારડમની વધુ પડી નહોતી, પરંતુ મને હવે તેનું મહત્ત્વ સમજાયું છે કારણ કે સ્ટારડમ એ ઍક્ટરની લાઇફનો એક ભાગ છે. આજે લોકો સોશ્યલ મીડિયા પર તરત જ ફૅમસ થઈ જાય છે એથી લોકો માટે સ્ટારડમ મેળવવું પહેલાં કરતા સરળ છે.
આ પણ વાંચો : વેબ-સિરીઝની જેમ ટીવી સિરિયલમાં એક્સપરિમેન્ટ કરવા શક્ય નથી : દિવ્યાંકા ત્રિપાઠી
ઍક્ટર માટે પૉપ્યુલારિટી મેળવવી જરૂરી છે જેથી તેને સારું કામ મળી રહે. જોકે મારે ઍક્ટર તરીકે ઓળખાવું છે સ્ટાર તરીકે નહીં. ઍક્ટર અને સ્ટાર વચ્ચે ઘણો તફાવત છે. એક ઍક્ટર દૃશ્ય માટે કાદવમાં પણ કામ કરશે, પરંતુ સ્ટાર એ નહીં કરે.’