Kasautii Zindagii Kay 2:કરણ સિંહ ગ્રોવર નિભાવશે મિસ્ટર બજાજનું પાત્ર!

16 May, 2019 03:46 PM IST  |  મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

Kasautii Zindagii Kay 2:કરણ સિંહ ગ્રોવર નિભાવશે મિસ્ટર બજાજનું પાત્ર!

કરણ સિંહ ગ્રોવર નિભાવશે મિસ્ટર બજાજનું પાત્ર!

Kasautii Zindagii Kay 2ની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી તેના મુખ્ય કિરદારોમાં કોણ જોવા મળશે તેની ઉત્સુકતા છે. પ્રેરણા અને અનુરાગ બાદ હવે મિસ્ટર બજાજની એન્ટ્રી થવા જઈ રહી છે.

મિસ્ટર બજાજના પાત્ર માટે અલગ-અલગ નામોની ચર્ચા ચાલી રહી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે આ માટે પહેલા કરણ વાહીનું નામ સામે આવ્યું હતું. પરંતુ હવે ખબરો સામે આવી રહી છે કે હવે આ ભૂમિકા કરણ સિંહ ગ્રોવર નિભાવશે. પહેલી સિઝનમાં આ પાત્ર રોનિત રૉયે નિભાવ્યો હોય છે. તેમની આ ભૂમિકા આજે પણ લોકોના દિલો દિમાગ પર છવાયેલી છે.

એકતા કપૂરે, કરણ સિંહ ગ્રોવરનો મિસ્ટર બજાજની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જેનું શૂટિંગ 17 મેથી શરૂ થઈ શકે છે. એ જોવું રસપ્રદ રહેશે કે કરણ આ કેરેક્ટરમાં કેવા લાગે છે.

આ પણ વાંચોઃ હિના ખાને અધવચ્ચે છોડી કસૌટી ઝિંદગી કી 2

કસૌટી..થી કરણ સિંહ ગ્રોવર ટીવીની દુનિયામાં કમબેક કરશે. ઘણા સમયથી તેઓ ટીવીની દુનિયામાં નજર નહોતા આવી રહ્યા. કસૌટી ઝિંદગીમાં કોમોલિકાનો રાઝ ખુલવામાં છે. જે ડ્રામા બાદ મિસ્ટર બજાજની એન્ટ્રી થશે.

ronit roy karan singh grover ekta kapoor