ગુડ્ડન તુમસે ના હો પાએગામાંથી દલજિત કૌરની બીજી વાર એક્ઝિટ!

27 February, 2020 07:15 PM IST  |  Mumbai Desk

ગુડ્ડન તુમસે ના હો પાએગામાંથી દલજિત કૌરની બીજી વાર એક્ઝિટ!

ઝી ટીવીના શો ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’માં અંતરાનું પાત્ર ભજવતી દલજિત કૌર હવે દર્શકોને જોવા નહીં મળે. શોના મેકર્સે સ્ટોરીના ટ્રૅકને ધ્યાનમાં લેતાં અંતરાના પાત્રને સિરિયલમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. આ રોમૅન્ટિક ડ્રામામાં કનિકા માન અને નિશાંત મલકાની લીડ રોલમાં છે. શોના આગામી એપિસોડમાં અંતરા એટલે કે દલજિત કૌર પોતાની દીકરી અલિશાનું ખૂન કરતી જોવા મળશે અને તે બધો જ દોષ ગુડ્ડન પર નાખી દેશે. જોકે અંતરા પોતાની જ જાળમાં સપડાઈ જશે અને મર્ડરના આરોપસર તેને જેલમાં ધકેલવામાં આવશે.

‘સીઆઇડી’, ‘કાલા ટીકા’, ‘કયામત કી રાત’ જેવા શો કરી ચૂકેલી દલજિતની ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’માંથી આ બીજી વાર એક્ઝિટ થઈ છે. ઑગસ્ટ ૨૦૧૯માં અભિનેત્રીએ બિગ બૉસ ૧૩માં ભાગ લેવા માટે આ શો છોડ્યો હતો અને તેના પાત્રને કાઢવા મેકર્સે આવો જ કંઈક ટ્રૅક ઊભો કર્યો હતો. જોકે આ વખતે દલજિત કૌરની શોને આખરી સલામ હોય એવું લાગે છે. કદાચ મેકર્સે દલજિતને કહી દીધું હશે કે દલજિત તુમસે ના હો પાએગા!

television news entertainment news