03 February, 2020 04:33 PM IST | Mumbai Desk
રિયાલિટી શૉ 'ઇન્ડિયન આઇડલ 11' પોતાના કોન્ટેસ્ટન્ટના સુર-તાલની સાથે સાથે હાલ શૉના હોસટ આદિત્ય નારાયણ અને શૉના જજ નેહા કક્કડના લગ્નને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હાલ આ બન્નેના લગ્નને લઈને અટકળો લગાડવામાં આવી રહી છે. આ દરમિયાન ચર્ચા છે કે બન્ને 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે એક બંધનમાં બંધાવાના છે. ખાસ વાત એ છે કે હવે તો સોની ટીવીએ પણ આ લગ્નને લઈને એક ટ્વીટ પણ કર્યું છે.
સોની ટીવી તરફથી શૅર કરવામાં આવેલા ટ્વીટમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં આદિત્ય અને નેહા સાથે રોમાન્ટિક ડાન્સ કરતાં દેખાય છે. જો કે, આ ફક્ત શૉનો ભાગ છે, જેને તેની રિયલ લાઇફ સાથે ન જોડી શકાય. વીડિયોમાં દેખાય છે કે બન્ને ગીત 'કાટે નહીં કટતે' ગીત પર ડાન્સ કરે છે અને ટ્વીટમાં લગ્નની તારીખ પણ લખવામાં આવી છે.
ટ્વીટમાં લખ્યું છે '14 ફેબ્રુઆરીની તારીખ ધ્યાનમાં રાખી લો કારણકે આ દિવસે નેહા અને આદિત્ય લગ્ન કરવા જઈ રહ્યા છે. આમ તો આદિત્ય નેહાને પ્રપોઝ પણ કરી ચૂક્યો છે અને અહીં સુધી કે તેના પોતાના અને ઘરના લોકો તરફથી નેહા સાથે લગ્ન કરવા માટે કહી ચૂક્યા છે. તાજેતરમાં જ શૉમાં નેહા અને આદિત્યના પેરેન્ટ્સ આવ્યા હતા, જ્યાં આદિત્યએ નેહાને લઈને વાત પણ કરી હતી.'
સૌથી સારી વાત એ છે કે ન તો નાહેના પરિવારને, અને ન તો આદિત્યના પરિવારને આ સંબંધથી કોઇ જ વાંધો નથી. જો કે, તે તો નેહાને પોતાની વહુ માની ચૂક્યા છે. તાજેતરમાં જ ઉદિત નારાયણે નેહાને કહ્યું કે તેણે આદિત્ય સાથે લગ્ન કરી લેવા જોઇએ. તો આદિત્યની માતાએ નેહાને વહુ કહીને જ બોલાવી, જેને સાંભળીને નેહા શરમાઇ ગઈ.
આ સિવાય શૉમાં આવેલા નેહાના પેરેન્ટ્સે પણ આવતાં જ કહ્યું કે અમે આ સંબંધ નક્કી કરીએ છીએ. આ સંબંધથી અમને કોઈ જ વાંધો નથી. નેહા, માતાને કહે છે કે તેને તો પૂછી લીધું હોત, પણ તેની મા કહે છે કે તેને નથી પૂછવું અને તેણે સંબંધો નક્કી કરવા વિશે વિચારી લીધું છે. જણાવીએ કે હજી નેહા, આદિત્ય સહિત કેટલાક મિત્રો સાથે ગોવા ટ્રિપ પર છે.