મારાં લગ્નમાં કોઈ બેવફાઈ નથી : વિલ સ્મિથ

16 March, 2022 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિલ સ્મિથનું કહેવું છે કે તેના લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારની બેવફાઈ નથી. તેણે જેડા પિન્કેટ સ્મિથ સાથે ૧૯૯૭માં લગ્ન કર્યાં હતાં.

મારાં લગ્નમાં કોઈ બેવફાઈ નથી

વિલ સ્મિથનું કહેવું છે કે તેના લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારની બેવફાઈ નથી. તેણે જેડા પિન્કેટ સ્મિથ સાથે ૧૯૯૭માં લગ્ન કર્યાં હતાં. તેમણે ૨૦૧૫માં અલગ થવાની પણ જાહેરાત કરી હતી. જોકે તેમણે ફક્ત બ્રેક લીધો હતો. તેઓ અલગ નથી થયાં. વિલની પત્ની જેડાએ ૨૦૨૦માં કહ્યું હતું કે તે સિંગર ઑગસ્ટ અલ્સિના સાથે રિલેશનશિપમાં હતી. આ વિશે ઑસ્ટ્રેલિયન રેબલ વિલ્સને કમેન્ટ કરી હતી. એનો જવાબ આપતાં વિલ સ્મિથે કહ્યું હતું કે ‘મારા લગ્નજીવનમાં કોઈ દિવસ બેવફાઈ નથી આવી. જેડા અને હું દરેક બાબત વિશે ચર્ચા કરીએ છીએ અને અમે કોઈ દિવસ એકમેકને સરપ્રાઇઝ નથી કરતાં. મને લાગે છે કે મારાં લગ્ન વિશેની ચર્ચાથી અન્યને ફાયદો થાય છે. રિયલ કન્વર્ઝેશન માટે ચર્ચા શરૂ કરવી જરૂરી છે અને ત્યાર બાદ જ તમને ખબર પડે છે કે તમારા દિલમાં જે-તે વ્યક્તિ માટે પ્રેમ છે કે પછી ઝેર.’

hollywood news will smith