ટૂંક સમયમાં આવશે ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ, સિદ્ધાર્થ રાંદેરિયાએ ક

25 February, 2019 12:44 PM IST  | 

ટૂંક સમયમાં આવશે ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ, સિદ્ધાર્થ રાંદેરિયાએ ક

તસવીર સૌજન્યઃજિમિત ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ

ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં તેઓ જાણીતી ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ સાથે દર્શકોની સામે હાજર થશે.

રવિવારે ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડને 1 વર્ષ પુરુ થયું છે. ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. રવિવારે સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાની ફેસબુક વૉલ પર એક વીડિયો શૅર કર્યો. જેમાં તેમણે પહેલા ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડનો ડાયલોગ બોલી બતાવ્યો. બાદમાં તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ આવી હોવાની માહિતી આપી.

આ વીડિયોના અંતમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે ટૂંક સમયમાં તેઓ ફિલ્મની ત્રીજી સિક્વલ લઈને આવી રહ્યા છે. જુઓ વીડિયો

 તો ગુજ્જુભાઈમાં સિદ્ધાર્થ રાંદેરિયાના કૉ સ્ટાર જિમિત ત્રિવેદીએ પણ ટ્વિટ કરીને ફિલ્મને એક વર્ષ પુરુ થયું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ જિમિત ત્રિવેદીએ ફિલ્મની સફળતા માટે દર્શકોનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચોઃ Movie Review:ચાલ જીવી લઈએ, ચાલો જોઈ લઈએ

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ રાંદેરિયાની લેટેસ્ટ ફિલ્મ 'ચાલ જીવી લઈએ' સુપરહિટ સાબિત થઈ છે. આરોહી અને યશ સોની સાથેની તેમની ફિલ્મને દર્શકોએ તો વખાણી છે, સાથે સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારુ પર્ફોમ કર્યું છે. ત્યારે હવે દર્શકો તેમની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

bollywood