કિર્તીદાન ગઢવી જીગ્નેશ બારોટનું રણછોડ રંગીલા કરશે જન્માષ્ટમીમાં રસતરબોળ

10 August, 2020 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કિર્તીદાન ગઢવી જીગ્નેશ બારોટનું રણછોડ રંગીલા કરશે જન્માષ્ટમીમાં રસતરબોળ

કિર્તીદાન ગઢવી અને જીગ્નેશ બારોટનું અનોખું સર્જન રણછોડ રંગીલા ગઇ કાલે રિલીઝ થયું છે. મયુર નાદિયાએ આ ગીતને સંગીત આપ્યું છે તથા રાજુ પટેલ તેના ડાયરેક્ટર છે. જન્માષ્ટમિ નીમિત્તે આ ગીત વિશેષ રિલીઝ કરાયું છે. રણછોડ રંગીલા ગીત એ ગોવાળીયો ભાગ ત્રણના હિસ્સા રૂપે રિલીઝ થયું છે.

આ અંગે કિર્તીદાન ગઢવીએ જણાવ્યું જન્માષ્ટમીનો મહિમા અને આ ગીતનું રિલીઝ થવું બન્ને એક જ સુરમાં ગવાતો ઉલ્લાસ છે અને માટે જ આ ગીત જન્માષ્ટમી નજીક હોય ત્યારે રિલીઝ કરાયું છે. કિર્તીદાન ગઢવીનું નામ તો ગુજરાતી લોક ગાયકીમાં ટોચ પર છે અને તેમની સાથે જીગ્નેશ બારોટનો સ્વર પણ ભળ્યો છે. ગીતનો લહેકો અને મિજાજ બંન્ને રણછોડની ગમતીલી, મોજીલી યાદને તાજી કરી દે તેવો છે અને કૃષ્ણ જન્મની ખુશીને બમણી કરે દે તે રીતે ગીતનાં વિઝ્યૂઅલસ્ પણ રસપ્રદ છે.

Kirtidan Gadhvi dhollywood news