29 April, 2020 07:38 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
હવે આ સ્માઇલ માત્ર તસવીરોમાં જ જોવા મળશે તેનું દુઃખ લગભગ દરેક ઇન્ડસ્ટ્રીને છે.
બોલીવુડ અભિનેતા ઇરફાન ખાનના નિધનના સમચારથી સમસ્ત ફિલ્મજગતનો મોટો આંચકો લાગ્યો છે ત્યારે બોલીવુડના નામી સિતારાઓએ ઇરફાનના નિધનના સમાચાર સાંભળી દુઃખ વ્યક્ત કર્યું છે. આ શ્રદ્ધાંજલિ ઢોલીવુડના કલાકારો દ્વારા પણ આપવામાં આવી છે તો જોઇએ ઢોલીવુડમાં લોકપ્રિય સિતારા મલ્હાર ઠાકરથી લઈને પ્રતીક ગાંધી, ડાયરેક્ટર વિરલ શાહ, ખુશી શાહ, તેમજ એક્ટર વિશાલ પારેખે ઇરફાન ખાનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
મલ્હાર ઠાકરના ખૂબ જ પ્રિય અભિનેતામાં મોખરે એવા ઇરફાન ખાન વિશે મલ્હારે લખ્યું છે કે, "ધ પ્યોર માસ્ટર એક્ટર, આપનું નિધન... ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે... મેં મારા બધાં જ ઇન્ટરવ્યૂમાં તેમનું નામ લીધું છે તેઓ મારા મનગમતા અભિનેતા હતા."
પ્રતીક ગાંધીએ ઇરફાનના મૃત્યુ પર ખૂબ જ સરસ વાક્ય લખ્યું છે તે છે, "An artist never dies" આ વાક્ય પરથી ખરેખર પ્રેરણા મળે છે કે કલાકાર ક્યારેય મૃત્યુ પામતો નથી તે સતત જીવંત રહે છે તેની કલામાં...
ફિલ્મ ડાયરેક્ટર વિરલ શાહ કહે છે કે, "હું વિશ્વાસ ન કરી શક્યો જ્યારે મને આ સમાચાર મળ્યા. ઇરફાન ખાન એક Gem હતા, તેઓ એકમાત્ર એવા અભિનેતા હતા, ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તેમના પાત્રો હંમેશાં યાદગાર રહેશે. હું હજી પણ નથી માની શકતો કે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા."
ટિકટોક સ્ટાર વિશાલ પારેખે પણ ઇરફાનને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું છે કે, "આપણે એક સાચ્ચા કલાકારને ગુમાવ્યા છે તે ખૂબ જ સારી વ્યક્તિ પણ હતા.
ખુશી શાહે પણ આ શબ્દોમાં દુઃખ વ્યક્ત કર્યું છે.
કોઇપણ અભિનેતા માટે ઇરફાન ખાનનું કામ કોઇ એક્ટિંગ સ્કૂલનાં કોર્સથી કમ ન હોઇ શકે, જે આ પોસ્ટ્સ પરથી જાણી શકાય છે.