ઝાયરા વસીમને તેની ઈચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતાઃ અનુભવ સિંહા

07 July, 2019 11:27 AM IST  |  મુંબઈ

ઝાયરા વસીમને તેની ઈચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતાઃ અનુભવ સિંહા

ઝાયરા વસીમને તેની ઈચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતાઃ અનુભવ સિંહા

ઝાયરા વસીમે બૉલીવુડ છોડવાનો નિર્ણય લીધો એનાં પર અનુભવ સિંહાનું કહેવું છે કે તેને પોતાની મરજી મુજબ જીવવાની સંપૂર્ણ આઝાદી છે. ઝાયરાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં બૉલીવુડ છોડવાની જાહેરાત કરી હતી. ‘દંગલ’થી બૉલીવુડમાં નામના મેળવનાર ઝાયરાનાં આવા નિર્ણય બાદ બૉલીવુડ પણ સ્તબ્ધ થઈ ગયુ હતું. આ વિશે પોતાનો અભીપ્રાય જણાવતાં અનુભવ સિંહાએ કહ્યુ હતું કે ‘મારા અનેક મુસ્લિમ ફ્રેન્ડ્સ છે. તેઓ ફોટોઝ ક્લિક નથી કરતાં કારણ કે તેમનું માનવું છે કે આ બાબત તેમનાં ઈસ્લામ ધર્મની વિરુદ્ધ છે. હું એક એવા હિન્દુ યુવાનને જાણું છું જે આ ભૌતિક વિશ્વનો ત્યાગ કરીને ભગવાનની શોધમાં નિકળી પડ્યો હતો. આ તેની પસંદગી છે અને એમાં કશું ખોટું નથી. હા જો ઝાયરા પર બૉલીવુડ છોડવાનું કોઈએ દબાણ કર્યું હોય તો એ અલગ બાબત છે. જોકે એની મને ચોકક્સ માહિતી નથી. એથી હું એ વિશે કમેન્ટ ના કરી શકું. તેણે જે ફિલ્મમાં કામ કર્યું હતું એનાથી તે ઘણી ફૅમસ થઈ હતી અને હવે જો તે આ ઇન્ડસ્ટ્રી છોડવા માગતી હોય તો તેને કેમ અટકાવવામાં આવે? આપણે કેમ તેને તેની મરજી મુજબ ના કરવા દઈએ? આ તેની ધાર્મિક માન્યતા છે.’

zaira wasim anubhav sinha