રાઇટર-ડિરેક્ટર ફૈઝલ સૈફનું ઑર્ગન-ફેલ્યર થતાં નિધન

17 September, 2022 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃષિતા ભટ્ટની ‘જિજ્ઞાસા’ને તેમણે ડિરેક્ટ કરી હતી. સાથે જ તેમણે ફિલ્મ ‘પાંચ ઘંટે મેં પાંચ કરોડ’ અને વેબ-સિરીઝ ‘કવિતાભાભી’ને ડિરેક્ટ કરી હતી. મલ્ટિપલ ઑર્ગન ફેલ્યર થવાથી તેમનું નિધન થયું હતું

ફૈઝલ સૈફ

રાઇટર-ડિરેક્ટર ફૈઝલ સૈફનું ઑર્ગન-ફેલ્યર થતાં અવસાન થયું છે. ૪૭ વર્ષના ફૈઝલ સૈફ એક મહિનાથી બીમાર હતા. હૃષિતા ભટ્ટની ‘જિજ્ઞાસા’ને તેમણે ડિરેક્ટ કરી હતી. સાથે જ તેમણે ફિલ્મ ‘પાંચ ઘંટે મેં પાંચ કરોડ’ અને વેબ-સિરીઝ ‘કવિતાભાભી’ને ડિરેક્ટ કરી હતી. મલ્ટિપલ ઑર્ગન ફેલ્યર થવાથી તેમનું નિધન થયું હતું. તેમની દફનવિધિ ભાયખલામાં કરવામાં આવી હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news