લગ્નના 24 વર્ષ બાદ સીમા સજદેહે સોહેલ ખાનને કેમ છૂટાછેડા આપ્યા? ચોંકાવનારું કારણ આવ્યું સામે

04 September, 2022 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૉની શરૂઆતમાં સીમાએ તેના ઘરની બહારથી તેની નેમપ્લેટ હટાવી દીધી

ફાઇલ તસવીર

સીમા સજદેહ આ દિવસોમાં `ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બોલિવુડ વાઈવ્સ`ને લઈને ચર્ચામાં છે. શોની નવી સીઝનમાં સીમા સજદેહની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સીમાને વેબ શૉ `ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બોલિવુડ વાઈવ્સ` માટે પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. શૉમાં મસ્તી કરવાની સાથે સીમાએ પોતાની અંગત જિંદગી વિશે પણ ખુલીને વાત કરી હતી.

સીમા સોહેલ સાથેના સંબંધો વિશે વાત કરી

શૉની શરૂઆતમાં સીમાએ તેના ઘરની બહારથી તેની નેમપ્લેટ હટાવી દીધી અને તેને `ખાન`થી બદલીને તેના બાળકોના નામ સીમા, નિર્વાણ અને યોહાન કરી દીધા. સીમા સજદેહે આ ઈશારાથી એટલું સ્પષ્ટ કરી દીધું છે કે સોહેલ ખાન અને તેના રસ્તા હવે સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે.

સીમાએ કેમ છૂટાછેડા લીધા?

એક એપિસોડમાં, સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે સીમા સજદેહને પ્રખ્યાત મેચ મેકર અને નેટફ્લિક્સ શ્રેણીની સ્ટાર `ઇન્ડિયન મેચમેકિંગ` સીમા ટાપરિયાની મદદ લેવા કહ્યું, જ્યારે સીમા ટાપરિયા સીમા સજદેહને મળે છે, ત્યારે તે તેને સોહેલ ખાન સાથેના છૂટાછેડા વિશે પૂછે છે. આ સવાલ પર સીમા સજદેહે કહ્યું કે તે અને સોહેલ ખાન છેલ્લાં 5 વર્ષથી અલગ રહે છે. તેમની વચ્ચેનો મુદ્દો એ હતો કે બંનેની વિચારસરણી એકબીજાથી ઘણી અલગ હતી અને બંને વચ્ચે સુસંગતતાના મુદ્દા હતા.

સીમા સજદેહ અને સોહેલ ખાને વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. વર્ષ 2000માં તેમના પુત્ર નિર્વાણનો જન્મ થયો હતો. આ પછી, વર્ષ 2011માં દંપતીએ સરોગસીની મદદથી તેમના બીજા બાળક યોહાનનું સ્વાગત કર્યું.

સીમા અને સોહેલે લગ્નના 24 વર્ષ બાદ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંને પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે. જોકે, તેમના અલગ થવાના સમાચારથી ચાહકો ખૂબ જ ચોંકી ગયા છે.

entertainment news Web Series sohail khan