અક્ષય કુમાર પર ભડક્યા થિએટર માલિક, કહ્યું કેમ વારંવાર જાય છે કપિલ શર્મા શૉમાં?

02 March, 2023 08:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પૉપ્યુલર ગેટી ગેલેક્સીના માલિક મનોજ દેસાઈએ કપિલ શર્મા અને અક્ષય કુમારને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મનોજ દેસાઈએ અક્ષય કુમારની ફ્લૉપ ફિલ્મો પર પ્રશ્ન ઊઠાવ્યા છે. સાથે જ એ પણ પૂછ્યું છે કે તે વારંવાર `ધ કપિલ શર્મા શૉ`માં કેમ જાય છે?

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

પૉપ્યુલર ગેટી ગેલેક્સીના માલિક મનોજ દેસાઈએ કપિલ શર્મા (Kapil Sharma) અને અક્ષય કુમારને (Akshay Kumar) લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં મનોજ દેસાઈએ અક્ષય કુમારની ફ્લૉપ ફિલ્મો પર પ્રશ્ન ઊઠાવ્યા છે. આની સાથે જ એ પણ પૂછ્યું છે કે તે વારંવાર `ધ કપિલ શર્મા શૉ` પર કેમ જાય છે. જાણો શું છે આખી ઘટના.

અક્ષય કુમાર પર ભડક્યા મનોજ દેસાઈ
પૉપ્યુલર ગેટી ગેલેક્સીના માલિક મનોજ દેસાઈએ ફિલ્મી ફીવરને આપેલા ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારની ફ્લૉપ ફિલ્મો પર નિરાશા વ્યક્ત કરી છે. મનોજ દેસાઈએ કહ્યું કે, "અક્ષય કુમારે એક વર્ષમાં 3-4 ફિલ્મો રિલીઝ કરવાને બદલે માત્ર બે ફિલ્મો રિલીઝ કરવી જોઈએ. આ સિવાય તેમણે વારંવાર કપિલ શર્મા શૉમાં જવાથી પણ બચવું જોઈએ."

આગળ તેમણે જણાવ્યું કે, "અક્ષય કુમારે `સેલ્ફી`ના ખરાબ પ્રદર્શન માટે જવાબ આપવો જોઈએ." આની સાથે જ તેમણે એ પણ કહ્યું કે `સેલ્ફી` જેવી ફિલ્મોની એડવાન્સ ઓપનિંગ ગુરુવારને બદલે સોમવારથી શરૂ થઈ જવી જોઈએ.

તો કપિલ શર્મા શૉ વિશે વાત કરતા તેમણે કહ્યું, "તમે (અક્ષય કુમાર) તાજેતરમાં જ `ધ કપિલ શર્મા શૉ`માં ગયા હતા, તમને શું મળ્યું? તેને `કપિલ શર્મા`ને પૈસા કમાવવા છે. સોની ટીવી તેને લોકોને હસાવવા અને મૂર્ખ બનાવવાના પૈસા આપી રહ્યા છે. પણ તમે શૉમાં આટલી બધી વાર કેમ જાઓ છો. તમે શૉમાં કોઈ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે? તે સલમાન ખાનનો શૉ છે, પણ તમારે ત્યાં કેમ જવું છે? લોકોએ મને કહ્યું કે અક્ષય કુમારનું ત્યાં વારંવાર જવું યોગ્ય નથી લાગતું."

કપિલ શર્મા શૉ પર નથી ગયા મનોજ દેસાઈ
મનોજ દેસાઈનું કહેવું છે કે, કપિલ શર્મા ત્રણ વાર તેમને શૉમાં બોલાવી ચૂક્યો છે, પણ તે નથી ગયા. મનોજ દેસાઈનું કહેવું છે કે કપિલ શર્મા જો તેમના વખાણ કરી શકે છે, તો તેમનો મજાક પણ બનાવી શકે છે. આથી તેમણે શૉમાં ન જવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો : Mumbai : ફાયર બ્રિગેડ વિભાગમાં આગ ઓલવવા માટે હવે સામેલ થશે ડ્રોન

મનોજ મુંબઈના આઈકૉનિક મરાઠા મંદિર થિએટર અને જી7 મલ્ટીપ્લેક્સના કાર્યકારી નિદેશક છે, જેમણે અક્ષય કુમાર અને કપિલ શર્મા વિરુદ્ધ બોલીને બધાને ચોંકાવી દીધા છે. જોઈએ આના પર અક્ષય કુમાર અને કપિલ શર્માનો શું જવાબ આવે છે.

akshay kumar the kapil sharma show kapil sharma bollywood bollywood gossips bollywood news entertainment news