09 January, 2020 12:42 PM IST | Mumbai
અક્ષયકુમાર
અક્ષયકુમાર તેની વૉશિંગ પાવડરની નવી ઍડમાં મરાઠા વૉરિયર બન્યો હોવાથી તે વિવાદમાં ફસાયો છે. મરાઠાઓની લાગણીને દુભાવવાનો તેના પર આરોપ મુકવામાં આવ્યો છે. આ ઍડમાં અક્ષયકુમાર તેના દુશ્મનોને હરાવી તેના રાજયમાં પાછા ફરે છે. તેમના ગંદા કપડાને જોઈને લોકો તેમની ટીકા કરે છે અને ત્યારે અક્ષયકુમાર કહે છે કે તેની સેના લડાઈ જીતી શકતી હોય તો તેઓ પોતાના કપડાં પણ જાતે ધોઈ શકે છે. જોકે આ ઍડ કેટલાક લોકોને પસંદ નથી પડી. મરાઠી કલ્ચરની મજાક ઊડાવવા અને લાગણીઓને દુભાવવા માટે વરલી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.