વિવેક અગ્નિહોત્રી મિથુન અને નસીરુદ્દીનને એકસાથે લાવવું સરળ નહોતું

13 April, 2020 07:05 PM IST  |  Mumbai | Agencies

વિવેક અગ્નિહોત્રી મિથુન અને નસીરુદ્દીનને એકસાથે લાવવું સરળ નહોતું

વિવેક અગ્નિહોત્રી

‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી માટે મિથુન ચક્રવર્તી અને નસીરુદ્દીન શાહને એકસાથે લાવવા મોટી વાત હતી. આ ફિલ્મ ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના શંકાસ્પદ રીતે થયેલા અવસાન પર આધારિત હતી. ૨૦૧૯ની ૧૨ એપ્રિલે રિલીઝ થેયલી આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, શ્વેતા બાસુ પ્રસાદ અને વિનય પાઠક પણ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ વિશે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘જો આટલા ટૅલન્ટેડ ઍક્ટર્સને ફિલ્મમાં પ્રભાવશાળી ઢબે ન દેખાડવામાં આવે તો એ ખોટું કહેવાય. આ ફિલ્મમાં દરેક કલાકાર પૂરા વિશ્વાસ સાથે આવ્યા હતા. મિથુન ચક્રવર્તી અને નસીરુદ્દીન શાહને એકસાથે એક ફિલ્મમાં લાવવા મારા માટે મોટી વાત હતી. શરૂઆતમાં હું ખૂબ ડરતો હતો. કોઈ અંગત કારણસર તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી સાથે કામ નહોતા કરી રહ્યા. હું જ્યારે તેમની પાસે સ્કીપ્ટ લઈને ગયો ત્યારે હું ડરી ગયો હતો. અમે ખુશનસીબ છીએ કે તેમણે સાથે કામ કર્યું. મેં જ્યારે નસીર સરને કહ્યું કે આ ફિલ્મમાં મિથુનદા પણ છે તો તેમણે સ્માઇલ આપી હતી. જોકે મિથુનદાએ એ વિશે કંઈ કહ્યું નહીં.’

vivek agnihotri naseeruddin shah mithun chakraborty bollywood news entertainment news