“નાના પાટેકર તો ગુંડા જેવા છે”: વિશાલ ભારદ્વાજે દિગ્ગજ અભિનેતા માટે આવું કહ્યું?

21 January, 2026 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી તરત જ, લોકોએ કમેન્ટ કરી. મોટાભાગના લોકોએ નાનાના કાર્યક્રમ છોડીને જવાના નિર્ણયને સમર્થન આપી રહ્યા હતા. એક યુઝરે ટિપ્પણી કરી, “હું આ બાબતે તેમની સાથે છું. સમયપાલનનો અહીં કોઈ અર્થ નથી.”

નાના પાટેકર

એક અણધારી ઘટનામાં, બૉલિવૂડના દિગ્ગજ પીઢ અભિનેતા નાના પાટેકર મુંબઈમાં શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘ઓ રોમિયો’ના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાંથી અચાનક બહાર નીકળી ગયા હતા. ફિલ્મના મુખ્ય કલાકારોમાંના એક નાના પાટેકર, ટ્રેલર લૉન્ચિંગના ઈવેન્ટ સ્થળે પહોંચનાર પહેલા સેલિબ્રિટી બન્યા હતા અને તેઓ આપવામાં આવેલા સમયે ત્યાં પહોંચ્યા હતા. જોકે, તેમના સહ-કલાકારો શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની એક કલાકથી વધુ રાહ જોયા બાદ, અભિનેતાએ ધીરજ ગુમાવી દીધી અને તેઓ તેમની ટીમના આગમન પછી તરત જ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા. આ ઘટના ઝડપથી ચર્ચાનો વિષય બની ગઈ, જેના કારણે ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ ‘ઓ`રોમિયો’ ટ્રેલર લૉન્ચ સમયે સ્ટેજ પરથી પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કર્યા.

નાના એક ગુંડા છે’: વિશાલ

લાઈવ ઈવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા વિશાલે કહ્યું, “નાના કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા છે, છતાં હું તેમના વિશે વાત કરવા માગુ છું. નાના ક્લાસરૂમના સૌથી તોફાની બાળક જેવા છે - એક એવો બાળક જે લોકોને બુલી (ગુંડાગીરી કરવી) કરે છે અને સૌથી વધુ મનોરંજન પણ કરે છે. હું નાનાને 27 વર્ષથી ઓળખું છું, પરંતુ આ પહેલી વાર છે જ્યારે અમે સાથે કામ કર્યું છે. જો તે અહીં હોત, તો તે ખૂબ સારું હોત. પરંતુ કારણ કે અમે તેમને એક કલાક રાહ જોવડાવી હતી, તે પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં ઉભા થયા અને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા. અમને એ વિશે ખરાબ લાગ્યું નહીં કારણ કે અમે જાણીએ છીએ કે આ જ બાબત તેમને નાના પાટેકરને બનાવે છે.”

નેટીઝન્સે નાના પાટેકરને સમર્થન આપ્યું

આ સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી તરત જ, લોકોએ કમેન્ટ કરી. મોટાભાગના લોકોએ નાનાના કાર્યક્રમ છોડીને જવાના નિર્ણયને સમર્થન આપી રહ્યા હતા. એક યુઝરે ટિપ્પણી કરી, “હું આ બાબતે તેમની સાથે છું. સમયપાલનનો અહીં કોઈ અર્થ નથી.” બીજા એક વ્યક્તિએ લખ્યું, “મિત્રો, યાદ રાખો કે નાના પાટેકરે રાજામૌલી સાથેની ફિલ્મ નકારી કાઢી હતી જ્યારે બાહુબલી અને RRR ની સફળતા પછી કોઈ પણ અભિનેતા સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ આંધળી રીતે ફિલ્મ સાઇન કરી દે છે. નાના લોકપ્રિયતા અને સ્ટારડમથી અવિચલિત છે. ભગવાનનો આભાર કે તેમનામાં આત્મસન્માન છે અને તેઓ સ્ટારડમ સામે નમતા નથી.”

ઘણા અન્ય લોકોએ પણ આવી જ લાગણીઓ વ્યક્ત કરી. એક ટિપ્પણીમાં લખ્યું હતું કે, “તેઓ એક વરિષ્ઠ અભિનેતા છે. શું તેમને યોગ્ય સમયની જાણ કરવામાં આવી ન હતી? જો તે સમયસર પહોંચ્યો અને અન્ય લોકો દોઢ કલાક મોડા આવ્યા, તો કોઈ વાજબીપણું નથી.” બીજા એકે પરિસ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું, “લમાઓ, શું શાહિદ શિસ્તબદ્ધ હોવાનું ખૂબ જ જ્ઞાન નથી આપતો?” ‘ઓ’ રોમિયો’થી એક દાયકાથી વધુ સમય પછી શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ સાથે કામ કરી રહ્યા છે. આ જોડીએ અગાઉ ક્રિટિક્સ દ્વારા વખાણાયેલી ફિલ્મો કમીને (2009) અને હૈદર (2014) માં કામ કર્યું હતું. સત્ય ઘટનાઓથી પ્રેરિત, ‘ઓ રોમિયો’માં અવિનાશ તિવારી, તૃપ્તિ ડિમરી અને નાના પાટેકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

nana patekar vishal bhardwaj shahid kapoor tripti dimri viral videos bollywood buzz bollywood news bollywood gossips bollywood