યોગ્ય દિશામાં કરવામાં આવેલી નિંદા આવકાર્ય છે : વિકી કૌશલ

14 October, 2019 10:51 AM IST  |  મુંબઈ

યોગ્ય દિશામાં કરવામાં આવેલી નિંદા આવકાર્ય છે : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલનું માનવું છે કે યોગ્ય દિશામાં કરવામાં આવેલી નિંદાને આવકારી શકાય છે. તેનું એમ પણ કહેવું છે કે એક કલાકારના વિકાસ માટે ટીકા અગત્યની છે. આ વિશે વધુ જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘જો નિંદા રચનાત્મક હોય તો એ તમને આત્મપરીક્ષણ કરવા માટે મદદરૂપ થાય છે અને તમને પણ લાગે છે કે હા, આમાં કંઈક તો વાત છે. એમાં કંઈ કરી શકાતું હતું. જોકે એ બરાબર ક્લિક થઈ શક્યું નહીં. એથી તમારે એનું જરૂર અનુસરણ કરવું જોઈએ. જોકે ક્યારેક આવી નિંદાઓ ગુસ્સાનું એક પરિણામ હોય છે. અનેકવાર આવું કરવામાં આવે છે. એથી તમે વાંચો છો અને એના પર મનન કરો છો. જો એમાં કોઈ અર્થ હોય તો એના વિશે તમે વિચારો છો અને એના પર કામ કરો છો. જો નહીં તો તમે એને અટકાવી પણ નથી શકતા. વ્યક્તિના વિકાસ માટે ટીકા અગત્યની છે. જોકે તમારે એ જોવું ખૂબ જરૂરી છે કે તમે કેવી મહેનત કરી રહ્યા છો, નિંદા તો થવાની જ છે.’

vicky kaushal bollywood news